આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત રાજયમાં જનસેવાના વિવિધ કાર્યો થઇ રહયા છે.વંદે ગુજરાત વિકાસ યાત્રાનો પ્રારંભ મેયર શ્રી ગીતાબેન પરમાર જૂનાગઢ મહાનગરપાલીકા ખાતેથી જૂનાગઢ મહાનગર પાલિકા શહેરી વિસ્તાર અંતર્ગત પ્રારંભ કરાવશે. આ કાર્યક્રમ બપોરે ૩.૩૦ કલાકે યોજાશે.રથ મારફતે લોકોને સરકારની કલ્યાણકારી યોજનાની માહિતી તેમજ વિવિધ લાભો અપાશે.
