Gujarat

તા.૩૦ એપ્રિલના રોજ ટાઉન હોલ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ શિબિર યોજાશે  

કાર્યક્રમ અંતર્ગત રાજ્યપાલશ્રીના હસ્તે પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ સ્ટોલ ખુલ્લા મૂકવામાં આવશે

 

પ્રાકૃતિક કૃષિ પેદાશોના સ્ટોલની મુલાકાત લઈ ખેડુતની આત્મ નિર્ભરતામાં સહયોગી બનવા તંત્ર દ્વારા અપીલ કરાઈ

 

જામનગર તા. ૨૮ એપ્રિલ, આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના આહવાન મુજબ જામનગર જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે અને વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવતા થાય તે માટે જિલ્લા પંચાયત જામનગર દ્વારા જામનગર જિલ્લાની તમામ 417 ગ્રામ પંચાયત ને 86 ક્લસ્ટરમાં સમાવિષ્ટ કરી પ્રાકૃતિક કૃષિ શિબિરનું આયોજન કરેલ છે.આ પ્રાકૃતિક કૃષિ પ્રચાર પ્રસાર અભિયાનના શુભારંભ પ્રસંગે આગામી તા. ૩૦ એપ્રિલ શનિવારના રોજ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત તથા રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજી ભાઈ પટેલની ઉપસ્થિતિમાં ટાઉનહોલ જામનગર ખાતે કૃષિ શિબિર કાર્યક્રમનું આયોજન કરાયું છે.તેમજ પ્રાકૃતિક કૃષિ દ્વારા ઉત્પાદિત જુદી જુદી ખેત પેદાશો અંગેનું પ્રદર્શન તથા વેચાણ સ્ટોલનું પણ આયોજન કરવામાં આવેલ છે.આ તમામ સ્ટોલ કાર્યક્રમના સ્થળે રાજ્યપાલશ્રીના હસ્તે ખુલ્લા મૂકવામાં આવશે.પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા જુદા જુદા ઉત્પાદનોના રાખવમાં આવેલ સ્ટોલ બપોરે ૧૨:૩૦ કલાક થી સાંજે ૦૫:૦૦ કલાક સુધી વેચાણ માટે ખુલ્લા રહેશે.લોકોની આરોગ્ય સુખાકારી જળવાય અને ખેડુતની આત્મ નિર્ભરતામાં સહયોગી બની શકીએ એ માટે જાહેર જનતાને આ પ્રદર્શન તથા વેચાણ સ્ટોલની મુલાકાત લેવા તથા ખેડૂતોએ પોતાના ખેતરે તૈયાર કરેલ પ્રાકૃતિક પેદાશો લોકો વધુમાં વધુ ખરીદ કરે તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પંચાયત, જામનગર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

0000000

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *