Gujarat

તાપીમાં ઝંપલાવનાર યુવકનો મૃતદેહ બીજા દિવસે મળ્યો

સુરત
સુરતના ભીમરાડ ગામનો રહેવાસી યુવક નિશીત પટેલ અગમ્ય કારણસર પોતાની મોટરસાયકલ લઈને કેબલ સ્ટેઇડ બ્રિજ પહોંચ્યો હતો. ત્યારબાદ પોતાનું જીવન ટૂંકાવી દેવા માટે તાપી નદીમાં ઝંપલાવી દીધું હતું. મોડી રાતનો સમય હોવાથી ફાયર વિભાગે થોડા સમય માટે યુવકને શોધવાનું શરૂ કર્યું હતું. પરંતુ તે મળ્યો ન હતો. રાતના સમયે આ રીતે તાપી નદીમાં શોધવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે. માટે ફરીથી ફાયર વિભાગની ટીમ કામે લાગી હતી. યુવકને શોધતા પાલ આરટીઓ કચેરીની પાછળ જ ફાયર વિભાગની ટીમ પહોંચી હતી. ત્યારે યુવકનો મૃતદેહ ત્યાં મળી આવ્યો હતો. નિશીત પટેલ શ્રી રામ માર્બલમાં કામ કરતો હોવાની પ્રાથમિક વિગતો મળી હતી. તેણે તાપી નદીમાં છલાંગ લગાવી દેતા પરિવારજનો પણ આશ્ચર્યમાં મૂકાયા હતા. નિશીત માત્ર ૨૦ વર્ષનો જ હોવાનું જાણવા મળ્યું છે. કયા કારણસર તેણે આપઘાત કરી લીધો છે. તે અંગે કોઈ પણ સત્તાવાર માહિતી મળી નથી. ફાયર વિભાગ દ્વારા યુવકનો મૃતદેહ પોલીસને સોંપવા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે તેના પરિવારજનો સાથે પણ વાતચીત કરીને નિવેદન લેવાના શરૂ કરાયા હતા. પરંતુ કયા કારણસર આપઘાત કર્યો છે. તે અંગે કોઈ નક્કર માહિતી મળી નથી.સુરતના ભીમરાડ વિસ્તારમાં રહેતા નિશીત પટેલ નામના યુવકે કેબલ સ્ટેઇડ બ્રિજ પરથી તાપી નદીમાં ઝંપલાવી દીધું હતું. આ અંગે ફાયરબ્રિગેડ વિભાગને જાણ થતા તાપી નદીમાં યુવકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. પરંતુ તે ન મળતા આજે ફરીથી સવારે ફાયર વિભાગની ટીમ દ્વારા યુવકને શોધવાનો શરૂ કરતાં તેનો મૃતદેહ પાલ આરટીઓ કચેરીની પાછળના ભાગે તાપી નદી કિનારેથી મળી આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *