ગીરગઢડાના મોટા સમઢીયાળા ગામે વર્ષો જુના જગપીરદાદા (ખજુરીયાપીર) દાદા ધર્મ સ્થળે હુતાસણી ધુળેટીના તહેવાર નિમીતે મેળો યોજાતો હોય છે. પરંતુ આ વર્ષે મેળો બંધ રાખવામાં આવેલ છે. અને જગતપીરદાદા ધર્મ સ્થળે દર્શન અને માનતાઓ કાયમી માટે ચાલુજ રહેશે. જેની સર્વધર્મ પ્રેમી જનતાએ નોંધ લેવા ઉપસરપંચ પ્રફુલભાઇ જીણાભાઇ કોરાંટની યાદીમાં જણાવેલ છે.
