Gujarat

રાજ્યના કૃષિ,પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલ જામનગર જિલ્લાના પ્રવાસતારીખ ૧૧ અને ૧૨ ફેબ્રુઆરીના જામનગર જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લેશે

 

જામનગર તા. ૦૯ ફેબ્રુઆરી, તા. ૧૧ ફેબ્રુઆરી શુક્રવાર અને તા. ૧૨ ફેબ્રુઆરી શનિવારના રોજ રાજ્યના કૃષિ-પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ જામનગર જિલ્લાનો પ્રવાસ કરશે. જેમાં તા. ૧૧ના રોજ ૧૨:૩૦ થી બપોરે ૧૫:૪૫ કલાક સુધી જામનગર સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજાશે, તેમજ ત્યારબાદ જામનગર જિલ્લાના ચંગા, બાવરીયા, લોઠીયા, ખોજા બેરાજા, ચંદ્રગઢ અને દરેડ ગ્રામ વિસ્તારોની મુલાકાત લેશે. તા. ૧૨ શનિવારના રોજ મંત્રીશ્રી ૧૬:૦૦ કલાક થી જામવંથલી, વરણા, જગા, મેડી, પસાયા, બેરાજા, મોડપર, નાની માટલી ગ્રામીણ વિસ્તારોમાં લોકોની મુલાકાત લઇ લોકોના પ્રશ્નોના નિરાકરણ અર્થે રૂબરૂ સંવાદ કરશે.                                       

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *