સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
આજરોજ અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ સાવરકુંડલા શહેર ખાતે ચાલી રહેલ બાયપાસના કામનું અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે સ્થળ નિરીક્ષણ કરેલ હતું. આ તકે સાંસદશ્રીએ લોકોને સવલત મળી રહે તે હેતુથી આ બાયપાસ આગામી ૧૫ દિવસમાં કોઈપણ ભોગે ચાલુ કરવા ઉપસ્થિત અધિકારીઓને તાકીદ કરેલ હતી.
સાંસદશ્રી તરફથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાં કરવામાં આવેલ અસરકારક રજૂઆતના ફળસ્વરૂપે આ કામ માટે સરકાર તરફ થી ₹ ૭ કરોડ થી પણ વધુની રકમ મંજૂર થયેલ અને આ કામ સાંસદશ્રી એ વ્યક્તિગત રસ લઈ દિવાળી પહેલા ચાલુ કરાવેલ હતું અને આજે સાંસદે ચાલી રહેલ કામની ચોથી વખત મુલાકાત લીધી હતી અને આ કામ ૧૫ દિવસમાં પૂર્ણ કરવા અધિકારીઓ અને એજન્સીને તાકીદ કરેલ છે.


