મુંબઈ
મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલે એક વીડિયોમાં તે કથિત રીતે એવું કહેતા સાંભળવામાં આવે છે કે તે મોદીને “માર” મારી શકે છે અને “અપશબ્દો” કહી શકે છે. આ વીડિયોમાં પટોલેને ભંડારા જિલ્લામાં ગામના લોકો સાથે કથિત રીતે આ કહેતા સાંભળી શકાય છે. હું મોદીને મારી શકું છું, તેમને અપશબ્દો બોલી શકુ છું. એ જ કારણ છે કે મોદી મારી વિરૂદ્ધ પ્રચાર કરવા માટે આવ્યા. જાે કે આ વિવાદ પછી પટોલેએ કહ્યું કે લોકોએ તેમને તેમના મતવિસ્તારમાં મોદી નામના સ્થાનિક ગુંડા વિશે ફરિયાદ કરી હતી અને તેમને આ પ્રકારની વાત વડાપ્રધાન માટે નથી કહી. પટોલેએ કહ્યું હું ફરી સ્ષપ્ટ કરૂ છું કે હું વડાપ્રધાન વિશે નહીં પણ મોદી નામના એક સ્થાનિક ગુંડા વિશે વાત કરી રહ્યો હતો. નાના પટોલેના આ નિવેદ પર ભાજપ આક્રમક થઈ ગઈ છે. ત્યારે વિધાનસભામાં વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે આવામાં નક્કી કરવું મુશ્કેલ થઈ જાય છે કે કોંગ્રેસ એક રાજકીય સંગઠન છે કે આતંકવાદી સંગઠન? ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે કહ્યું કે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા જેવા છે, તેવા જ તેમની પાર્ટીના અન્ય નેતા પણ છે. તે શું બોલે છે, તેનું કોઈ જ્ઞાન નથી. ત્યારે આ મામલે પોલીસ ઝડપી કાર્યવાહી કરે, ભાજપ આ સહન નહીં કરે.મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને ધારાસભ્ય નાના પટોલે એ વડાપ્રધાન મોદીની વિરૂદ્ધ વિવાદીત નિવેદન આપ્યું. આ નિવેદન બાદ ભાજપે તેમની સામે મોરચો ખોલ્યો છે. ત્યારે ભાજપ નેતા રામ કદમે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નાના પટોલે પર એફઆઈઆર દાખલ કરવાની માંગ કરી છે. આ દરમિયાન મહારાષ્ટ્રના ગૃહમંત્રી અને ડીજીપી પોલીસ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નાના પટોલે પર તરત જ હ્લૈંઇ દાખલ કરો. તેમને કહ્યું કે તેમની જગ્યા લોકોની વચ્ચે નથી, જેલના સળીયાની પાછળ છે. ભાજપ નેતા રામ કદમે નિવેદન આપતા કહ્યું કે આવી સ્થિતિમાં તેઓ કોંગ્રેસ પાર્ટીની નબળી વિચારસરણીનું પ્રતિક છે. તેઓ જાણે છે કે તેઓ પીએમ મોદીજી સામે ક્યારે જીતી શકતા નથી. પછી આવા અભદ્ર વિચારો અને હવે લોકોનો ગુસ્સો ભારે પડી ગયો, ત્યારે તેઓ કહે છે કે બીજું કોઈ છે. તેમણે કહ્યું કે શું ઠાકરે સરકારે કોંગ્રેસ પાર્ટીના નેતાઓને કોઈની હત્યા અને દુર્વ્યવહાર કરવાની મંજૂરી આપી છે? જાે આ મામલે હ્લૈંઇ ના નોંધાઈ તો અમે રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરીશું.
