મુંબઈ
ભારત તરફથી રમવાનો અનુભવ ધરાવનાર સાઈરાજ બહુલે ૧ માર્ચે ભારતની પ્રેક્ટિસ દરમિયાન સતત હાજર રહ્યા હતા. તેમણે ભારત માટે બે ટેસ્ટ અને આઠ વનડે રમી છે. આ ૪૯ વર્ષીય ભૂતપૂર્વ ખેલાડીએ કુલદીપ યાદવની બોલિંગમાં પણ મદદ કરી હતી. ત્યારે એવું માનવામાં આવતું હતું કે તે સ્પિન બોલિંગ કોચ તરીકે જાેડાયા હતા કે કેમ. કારણ કે પણ એવા અહેવાલ હતા કે ભારતીય ટીમના સપોર્ટ સ્ટાફમાં નવા ચહેરાઓ જાેવા મળી શકે છે. પરંતુ બીસીસીઆઈએ સ્પષ્ટપણે ના કહી છે. એક વરિષ્ઠ અધિકારીએ મીડિયા રિપોર્ટમાં જણાવ્યું કે બહુતુલે અને બાકીના નવા આવનારાઓ માત્ર હંગામી રૂપે ટીમ ઈન્ડિયા સાથે છે. રીપોર્ટમાં અધિકારીએ જણાવ્યું હતું કે સાઈ મોહાલીમાં ટેસ્ટ નિષ્ણાતો સાથે છે. ભારતના ટેસ્ટ નિષ્ણાત ખેલાડીઓ લગભગ એક અઠવાડિયાથી મોહાલીમાં હતા. તે તેમને ટ્રેનિંગમાં મદદ કરી રહ્યા હતા કારણ કે રાહુલ અને બાકીનો સ્ટાફ મર્યાદિત ઓવરોની ટીમ સાથે હતો. સાઈરાજ બહુતુલે બેંગ્લોરમાં નેશનલ ક્રિકેટ એકેડમીનો એક ભાગ છે. દ્ગઝ્રછ ટ્રેનર આનંદ દાતે અને ફિઝિયો પાર્થ પણ તેમની સાથે મોહાલી ગયા હતા. આ સાથે જ ગુજરાત તરફથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમનાર અપૂર્વ દેસાઈ પણ ગયો હતો. દેસાઈ એનસીએમાં બેટિંગ કોચ છે. બીસીસીઆઈના અધિકારીએ કહ્યું કે હવે ભારતીય ટીમ માટે નવી ભરતી કરવામાં આવશે. તેમના મતે આ લોકો હજુ બે દિવસ ટીમ સાથે રહેશે. જે બાદ એનસીએ પરત ફરશે. ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ ટેસ્ટ ૪ માર્ચથી મોહાલીના પંજાબ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની આ ૧૦૦મી ટેસ્ટ છે.શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી પહેલા ભારતીય ટીમ કોઈ કસર છોડવા માંગતી નથી. આ જ કારણ છે કે મોહાલી ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાના સપોર્ટ સ્ટાફમાં બે નવા ચહેરા જાેવા મળ્યા હતા. પૂર્વ ક્રિકેટર સાઈરાજ બહુતુલે અને અપૂર્વ દેસાઈ ટીમ ઈન્ડિયાને પ્રેક્ટિસમાં મદદ કરતા જાેવા મળ્યા હતા. આ બંને ભારતીય અંડર-૧૯ ટીમ અને નેશનલ ક્રિકેટ એકેડમીના સેટઅપનો હિસ્સો છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા સાથે તેમના દેખાવાથી આશ્વર્ય જરુર છે. કહેવાય છે કે આ બંનેને ભારતીય ટીમ સાથે રાખવામાં આવ્યા હતા. જ્યારે ભારત અને શ્રીલંકા વચ્ચે ્૨૦ સિરીઝ ચાલી રહી હતી ત્યારે બંને ટેસ્ટ ટીમના ખેલાડીઓને પ્રેક્ટિસમાં મદદ કરી રહ્યા હતા.


