Maharashtra

લોકઅપ શોમાં કંગનાએ કરણવીરને લૂઝર કહેતા વિવાદ સર્જાયો

મુંબઈ
કંગના રનૌતનો રિયાલિટી વેબ શો ‘લોક અપ’ હાલમાં ચર્ચાનો વિષય છે. ટીવી એક્ટર કરણવીર વોહરા પણ કંગનાના શોમાં સ્પર્ધક તરીકે જાેવા મળે છે. શોમાં અભિનેત્રી કંગનાએ સ્ટેજ પર અભિનેતાનું તીક્ષ્ણ શબ્દોમાં સ્વાગત કર્યું. જે બાદ હવે કરણવીરની પત્ની ટીજેએ પ્રતિક્રિયા આપી છે. શોમાં તેના પતિ માટે ‘લુઝર’ શબ્દ સાંભળીને, ટીજે સીધુ ખુબ નારાજ થઈ છે. અભિનેતાની પત્નીએ શોમાં કરણવીર વોહરા માટે આવા શબ્દો વાપરવા બદલ કંગનાને આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે. ટીજેએ ટિ્‌વટર પર એક પોસ્ટ શેર કરી છે જેમાં તેણે લખ્યુ કે ‘જાે કોઈ સફળ ટીવી અભિનેતા રિયાલિટી શો જીતી શકતો નથી,તો શું તેને લુઝર કહેવામાં આવે છે ? તો પછી તે રિયાલિટી શોના વિજેતાઓ વિશે શું જેઓ પછીથી સફળ અભિનેતા બન્યા ? શું તે પણ લુઝર છે ?’ શોમાં અભિનેતાની ઓળખાણ આપ્યા પછી, કંગના રનૌતે તેને કહ્યું’લોકોએ કરણવીર પર આરોપ લગાવ્યો છે કે તે એક અનુભવી રિયાલિટી શો ગુમાવનાર એક્ટર બની ગયો છે.’ કંગના દ્વારા પુછવામાં આવેલા સવાલનો જવાબ આપતા કરણે કહ્યું ‘શું તમે કોઈને આ રીતે પ્રેરિત કરો છો ? કે જાે તમે શો ન જીતો તો તમે લુઝર છો ? કંગનાએ કરણને આગળ કહ્યું ‘જે હારીને જીતે છે તેને જાદુગર કહેવાય છે, પરંતુ જે હારે છે અને હારતા રહે છે તે કદાચ કરણવીર કહેવાય છે.’ કંગના રનૌતે આ વીડિયો પ્રોમોને તેના ઇન્સ્ટા એકાઉન્ટ સાથે શેર કર્યો છે, સાથે કેપ્શન – ‘ક્વીને કરણવીર વોહરાની લીધી સોલિડ ટેસ્ટ’. અમારા પ્રશ્નોથી હીરો સ્ટ્રેસમાં આવી ગયા. આ શોમાં, કંગના રનૌત ઘણા સેલેબ્સને’લોકોના આરોપો’ કહી રહી છે. અભિનેત્રી પાયલ રોહતગી પણ કંગનાના શોમાં પહોંચી હતી. જાે કે પહેલા જ દિવસે કંગના અને પાયલ વચ્ચે ઝઘડો થતો જાેવા મળ્યો હતો. તો તે જ સમયે પાયલે કંગના પર સવાલો ઉઠાવવાનું શરૂ કરી દીધું હતું.

Kangna-Ranut.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *