Uttar Pradesh

સપાના ઉમેદવારે ઉમેદવારી પત્રક પાછું ખેંચતા પાર્ટીમાં ખળભળાટ

ઉત્તરપ્રદેશ
ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી બાદ હવે ૩૬ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ રાજકીય ઘમસાણ શરૂ થઈ ગયુ છે. વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર થયા બાદ સમાજવાદી પાર્ટી હવે પોતાના અસ્તિત્વને બચાવવામાં લાગી ગઈ છે. જાે કે ગાઝીપુરમાં ભાજપને જાેરદાર હાર આપીને અહીં બધી સીટ તે જીતી હતી. આ જીત બાદ ફરી એકવાર સજ્જ થયેલી પાર્ટીએ ભોલાનાથ શુક્લાના સથવારે ચૂંટણીમાં ઝંપલાવ્યુ હતું, સમાજવાદી પાર્ટીનાં ઉમેદવારે ઉમેદવારી પત્રક પાછુ ખેંચી લેતા પાર્ટીમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જિલ્લા અધિકારી મંગાલા પ્રતાપ સિંહે જણાવ્યુ કે સમાજવાદી પાર્ટીનાં અધિકૃત ઉમેદવાર ભોલાનાથ શુક્લા સાથે દેવેન્દ્ર સિંહે પોતાનું ઉમેદવારી પત્રક પાછુ ખેંચી લીધુ હતું. હવે ગાઝીપુર સ્ન્ઝ્ર ચૂંટણીમાં ભાજપનાં ઉમેદવાર વિશાલ સિંહ ચંચલ સામે માત્ર એક અપક્ષ ઉમેદવાર જ ટક્કરમાં રહેશે. હાલમાં સ્ન્ઝ્ર ચૂંટણીમાં ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ ૨૪ માર્ચ રાખવામાં આવી છે. ઉમેદવારીનાં દિવસે ભોલાનાથ શુક્લાએ નિવેદન આપ્યુ હતું કે કોઈ બહારનું નથી કેમકે ભારતમાં તમામને ચૂંટણી લડવાનો અધિકાર છે. આ અધિકાર હેઠળ જ તેમણે ચૂંટણીમાં ઝંપલાવ્યુ છે. તે ભાજપ મુક્ત જિલ્લો બનાવશે, તેમણે ઉમેર્યુ હતું કે કાશ્મીરમાં પણ હવે તો ચૂંટણી લડી શકાય છે. જાે કે હવે તેમણે ખરા સમયે ઉમેદવારી પત્રક પાછુ ખેંચી લેતા તેમના નિવેદનની હવા નિકળી ગઈ હતી. પાછલી ૨૧ માર્ચે ભદોહી જિલ્લાનાં રેહવાસી ભોલાનાથ શુક્લાએ પુરા તામઝામ સાથે પોતાનું ઉમેદવારી પત્રક દાખલ કર્યુ હતું. જાે કે અચાનક જ ભોલાનાથ શુક્લાએ પોતાનું ઉમેદવારી પત્રક પરત ખેંચી લેતા ભાજપની છાવણીમાં આનંદનું મોજુ ફરી વળ્યુ હતું. હવે જે પ્રકારે સમીકરણો રચાયા છે તે મુજબ ભાજપનાં ઉમેદવાર કોઈ પણ પ્રકારના વિરોધ વગર જીત નોંધાવી શકે છે.

Uttar-Pradesh-Assembly-Election-2022.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *