International

યુક્રેનના અધિકારીઓનો દાવો કે રશિયન સેૈન્ય ચેર્નોબિલથી ભાગી ગઈ

યુક્રેન
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ વચ્ચે આ સમયે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રશિયન સેના ચેર્નોબિલથી ભાગી ગઈ છે. યુક્રેનની રાજધાની કિવમાં અધિકારીઓએ આ જાણકારી આપી. અધિકારીઓએ જણાવ્યું હતું કે રશિયાના સૈનિકોએ મંગળવારે યુક્રેનના ચેર્નોબિલ પરમાણુ પાવર પ્લાન્ટને ઘણા દિવસો સુધી કબજે કર્યા બાદ છોડી દીધું હતું. ચેર્નોબિલ એક્સક્લુઝન ઝોનના ઇન્ચાર્જ વ્યક્તિએ ફેસબુક પર કહ્યું, “ચેર્નોબિલ ન્યુક્લિયર પાવર પ્લાન્ટના વિસ્તારમાં હવે કોઈ બહારના લોકો નથી.” રશિયાએ યુક્રેનના ચેર્નોબિલ સ્થિત ન્યુક્લિયર પાવર પ્લાન્ટને એક મહિનાથી વધુ સમય સુધી પોતાના કબજામાં રાખ્યો હતો. સાથે જ યુક્રેનની સેનાએ રશિયાના કબજામાંથી ઘણા વિસ્તારોને મુક્ત કરાવ્યા છે. માહિતી અનુસાર, મોસ્કોએ કિવ નજીકથી ૭૦૦ સૈન્ય વાહનો હટાવ્યા છે. એકંદરે, એવું કહી શકાય કે યુક્રેન પણ રશિયા પર ભારે પડી રહ્યું છે. યુક્રેનની સેનાએ પણ ચેર્નિહિવમાં આગળ વધ્યું છે. રશિયા ઉત્તર યુક્રેનના કિવમાં સૈન્ય કાર્યવાહીમાં ઘટાડો કરશે. રશિયાના ડેપ્યુટી ડિફેન્સ મિનિસ્ટર એલેક્ઝાન્ડર ફોમિને મંગળવારે કહ્યું હતું કે રશિયન દળો કિવ અને ચેર્નિહિવની દિશામાં સૈન્ય ગતિવિધિઓમાં ઘટાડો કરશે. ૨૪ ફેબ્રુઆરીના યુક્રેન પર રશિયાના હુમલા પછી પહેલીવાર એવું બન્યું છે કે રશિયાએ થોડીક હળવાશ દાખવી હોય. ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીના વડાએ કહ્યું છે કે બંધ ચેર્નોબિલ પાવર પ્લાન્ટમાંથી રશિયન સૈન્યનું વિદાય એ યોગ્ય દિશામાં એક પગલું છે અને યુએન પરમાણુ વોચડોગ ખૂબ જ જલ્દી ત્યાં પહોંચવાની યોજના ધરાવે છે. ૈંછઈછ ના ડિરેક્ટર-જનરલ રાફેલ મારિયાનો ગ્રોસીએ કહ્યું કે તેઓ ૧૯૮૬ પરમાણુ આપત્તિના સ્થળ ચેર્નોબિલ માટે સહાય મિશનનું નેતૃત્વ કરશે. ગ્રોસીએ શુક્રવારે યુક્રેન અને રશિયાની મુલાકાત લીધા બાદ આ વાત કહી. તેમણે કહ્યું કે રશિયન પરમાણુ અને વિદેશ મંત્રાલયના અધિકારીઓએ તેમની સાથે ચર્ચા કરી ન હતી કે રશિયન સેનાએ ચેર્નોબિલ કેમ છોડ્યું. ચેર્નોબિલ વિસ્તારની સ્થિતિ અંગે તેમણે કહ્યું કે, “રેડિયેશનનું સ્તર સામાન્ય છે. પ્લાન્ટના કબજા દરમિયાન ભારે વાહનોની હિલચાલને કારણે સ્થાનિક કિરણોત્સર્ગનું સ્તર પ્રમાણમાં ઊંચું હતું અને સૈન્ય ગયા પછી ફરીથી બન્યું છે. યુક્રેનની રાજ્ય સંચાલિત ઊર્જા કંપનીએ જણાવ્યું હતું કે રશિયન સૈનિકો રેડિયેશનથી પ્રભાવિત થયા હતા. જાેકે, ગ્રોસીએ કહ્યું, ‘અમને ખબર નથી કે સૈનિકોને રેડિયેશનની અસર થઈ હતી કે નહીં.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *