International

ભારતીય એમ્બેસીએ યુક્રેનમાંથી ભારતીયોને પાછા ફરવા માટે સલાહ આપી

યુક્રેન
હવે યુક્રેનમાં ભારતીય એમ્બેસીએ પણ ભારતીય વિદ્યાર્થીઓને ભારત પાછા ફરવા માટે સલાહ આપી છે. સાથે જ યુક્રેનમાં રહેતા ભારતીયોને એમ્બેસી સાથે સંપર્કમાં રહેવા જણાવ્યું છે. કેટલાક અહેવાલો દાવો કરી રહ્યા છે કે પુતિન ચેતવણી વિના યુક્રેન પર હુમલો કરવાનો આદેશ આપશે, જે કોઈપણ સમયે થઈ શકે છે. કિવમાં ભારતીય એમ્બેસીએ તેની એડવાઈઝરીમાં કહ્યું છે કે યુક્રેનમાં વર્તમાન પરિસ્થિતિની અસ્થિરતાને જાેતા યુક્રેનમાં રહેતા ભારતીય નાગરિકો, ખાસ કરીને વિદ્યાર્થીઓ, જેમને રોકાવાની જરૂર નથી, તેઓએ અસ્થાયી રૂપે દેશ છોડી દેવો જાેઈએ. ભારતીય નાગરિકોને પણ સલાહ આપવામાં આવે છે કે બિનજરૂરી કારણોસર યુક્રેનની મુસાફરી ટાળો. ભારતીય નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ યુક્રેનમાં તેમની સ્થિતિ વિશે એમ્બેસીને માહિતગાર કરે જેથી જ્યારે પણ જરૂર પડે ત્યારે એમ્બેસી તેમના સુધી પહોંચી શકે. ભારતીય એમ્બેસીએ કહ્યું કે એમ્બેસી ભારતીય નાગરિકોને તમામ સુવિધાઓ પૂરી પાડવા માટે યુક્રેનમાં તેની સામાન્ય કામગીરી ચાલુ રાખશે. રશિયન હુમલાના ખતરાને જાેતા અમેરિકા પણ એની એમ્બેસીને કિવથી યુક્રેનના પશ્ચિમી શહેર લ્વિવમાં ખસેડી રહ્યું છે. અમેરિકન વિદેશ મંત્રી એન્ટની બ્લિંકનનું કહેવું છે કે વોશિંગ્ટને રશિયન હુમલાના ડરથી એમ્બેસી ખસેડવાનો ર્નિણય લીધો છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઈસે જણાવ્યું હતું કે એમ્બેસીને કિવથી લ્વિવમાં ખસેડવાનો ર્નિણય એ પરિસ્થિતિઓ પર આધારિત છે કે જેને અમેરિકા જમીન પર પોતાની આંખોથી જાેઈ રહ્યું છે. તેમણે કહ્યું કે તેનો હેતુ માત્ર અમેરિકન નાગરિકો અને તેમના સહકાર્યકરોની સુરક્ષા કરવાનો છે. એમ્બેસીને ખસેડવાની વિગતો આપતા, બ્લિંકને જણાવ્યું હતું કે, ‘યુક્રેનિયન સરહદ પર રશિયન દળોના ઝડપી નિર્માણને કારણે અમે અમારી એમ્બેસીને અસ્થાયી રૂપે કિવથી લ્વિવમાં ખસેડી રહ્યા છીએ.’ એમ્બેસી યુક્રેન સરકાર સાથે સંપર્કમાં રહેશે અને યુક્રેનમાં રાજદ્વારી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પુતિન ચેતવણી આપ્યા વિના યુક્રેન પર આક્રમણ કરવાનો આદેશ આપશે. પરંતુ બ્રિટન અને અમેરિકાનું કહેવું છે કે શાંતિની આશા અકબંધ છે અને કૂટનીતિનો માર્ગ હજુ પણ ખુલ્લો છે. પરંતુ તે દરમિયાન, એક પશ્ચિમી ગુપ્તચર અહેવાલે શ્રેણીબદ્ધ હુમલાઓની આગાહી કરતા ચિંતા વધી છે. આનો અર્થ એ છે કે રશિયા સતત હુમલો કરીને સૌથી પહેલા કિવ પર કબજાે કરશે.

Indian-Embassy-in-Ukraine.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *