બુલંદશહર
મિયાં બીવી રાજી તો ક્યાં કરેગા કાજી…આ લાઈન તો તમે ફિલ્મોમાં સાંભળી જ હશે. પણ ઉત્તર પ્રદેશમાં આવું થયું નથી. મિયાં બીબી બંને રાજી હતા, પણ કાજી નિકાહ કરવા માટે રાજી નહોતા. હવે સવાલ એ છે કે, આખરે કાજી સાહેબ કઈ વાતે નારાજ થઈ ગયા હતા અને કેમ નિકાહ કરવાની ના પાડતા હતા. હકીકતમાં જાેઈએ તો, મૌલનાઓના ફરમાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તેમાં નઈ આબાદીની ચાંદ મસ્જિદ નજીક એક યુવકની જાન બુલંદશહરના સ્યાના જઈ રહી હતી. સવારે લગભગ ૧૦ કલાકે ઘોડા પર સવાર થઈ દુલ્હો નિકળ્યો. એક બાજૂ વર ઘોડા પર સવાર થઈને જતો હતો, બીજી બાજૂ ડીજેના તાલે મહિલાઓ તથા પુરુષો ડાંસ કરતા હતા. જાન જેવ જીટી રોડ પર આવેલા મદરેસા નજીક પહોંચી, તો ડીજે અને ફટાકડાનો અવાજ સાંભળીને મદરેસાના મૌલાના બહાર આવ્યા. તેમણે અહીં જાનને તુરંત રોકી અને કહ્યું કે, ધર્મમાં ડીજે અને આતશબાજી પર પ્રતિબંધ છે. તેમ છતાં લોકો ડીજે વગાડતા રહ્યા. મૌલાનાઓએ ડીજે વગાડવા પર પરિવારને સામાજિક બહિષ્કારની ચેતવણી આપી દીધી. ત્યાં હાજર મુસ્લિમ સમાજના લોકોએ મૌલાનાઓએ ચેતવણી આપી દીધી કે, જે લગ્નમાં ડીજે અથવા આતશબાજી થશે તેમાં મૌલાનાઓ જાેડાશે નહીં અને લગ્ન કરાવશે નહીં.


