Delhi

વધુ એક સેલિબ્રિટિ કપલના છૂટાછેડા!.. ૧૫ વર્ષ બાદ પડશે છૂટા?.. શું છૂટાછેડાનું આ બન્યું કારણ

નવીદિલ્હી
ઈન્દ્રનીલ સેનગુપ્તા અને બરખા બિષ્ટના લગ્નની ગણતરી ટીવી જગતના અત્યાર સુધીના સૌથી સફળ લગ્નોમાં થતી હતી. પરંતુ છેલ્લા ૨ વર્ષથી ટીવીના આ લોકપ્રિય કપલ વચ્ચે કશું બરાબર ચાલી રહ્યું ન હતું. હવે બે વર્ષ પછી અભિનેત્રી બરખા બિષ્ટે ઈન્દ્રનીલ સેનગુપ્તા સાથેના સંબંધોમાં આવેલા તિરાડ પર પોતાનું મૌન તોડ્યું છે. અભિનેત્રીએ જણાવ્યું કે તે અને ઈન્દ્રનીલ ટૂંક સમયમાં છૂટાછેડા લેવા જઈ રહ્યા છે. જાે કે અગાઉ ઈન્દ્રનીલ સેનગુપ્તાએ તેની પત્ની સાથેના અણબનાવના અહેવાલોને માત્ર અફવા ગણાવીને ફગાવી દીધા હતા. બરખા બિષ્ટે તેના લેટેસ્ટ ઈન્ટરવ્યુમાં પહેલીવાર ઈન્દ્રનીલ સાથેના છૂટાછેડા વિશે વાત કરી છે. ૨૦૨૧ થી દંપતીના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી, પરંતુ અભિનેત્રીએ ક્યારેય તેના વિશે વાત કરી ન હતી. જાેકે, અભિનેત્રીએ હજુ સુધી તેના છૂટાછેડા પાછળનું કારણ જાહેર કર્યું નથી. પરંતુ ૨૦૨૧માં મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, ઈન્દ્રનીલ સેનગુપ્તાનું એક બંગાળી અભિનેત્રી સાથે એક્સ્ટ્રા-મેરિટલ અફેર હતું, જેના કારણે તેમના સંબંધોમાં તિરાડ આવી ગઈ હતી. આ કપલ છેલ્લા ૨ વર્ષમાં એકવાર પણ સાથે જાેવા મળ્યું નથી. હવે અભિનેત્રી બરખા બિષ્ટે તેમના સંબંધોનું કડવું સત્ય જાહેર કર્યું છે. ઈ્‌ૈદ્બીજ ને આપેલા એક ઇન્ટરવ્યુમાં, અભિનેત્રી કહે છે, “હા, અમે ટૂંક સમયમાં છૂટાછેડા લેવા જઈ રહ્યા છીએ. આ મારા જીવનનો સૌથી મુશ્કેલ ર્નિણય છે. આ દિવસોમાં તે પોતાની દીકરી મીરાને એકલી જ ઉછેરી રહી છે. તેની પુત્રી સાથે જીવનમાં આગળ વધવા વિશે વાત કરતાં અભિનેત્રી કહે છે, “હું હવે સિંગલ મધર છું અને મીરા મારી પ્રથમ પ્રાથમિકતા છે. હું ર્ં્‌્‌ પર સારું કામ કરી રહ્યો છું. જાે કે, હું હંમેશા ટીવી અને ફિલ્મોમાં સારા પ્રોજેક્ટ માટે તૈયાર છું.” ઈન્દ્રનીલ સેનગુપ્તા બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે . ટીવી સીરિયલ્સની સાથે આ એક્ટર ઘણી ફિલ્મોમાં પણ જાેવા મળ્યો છે. ઈન્દ્રનીલ અને બરખા સીરિયલ ‘પ્યાર કે દો નામ… એક રાધા એક શ્યામ’ના સેટ પર મળ્યા હતા. આ સિરિયલમાં સાથે કામ કરતી વખતે જ બંને પ્રેમમાં પડ્યા હતા. થોડા સમય સુધી ડેટિંગ કર્યા બાદ આ કપલે ૨૦૦૮માં લગ્ન કર્યા હતા.

File-01-Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *