નવીદિલ્હી
સ્વાસ્થ્ય મંત્રાલયે ચેન્નાઈની ફાર્માસ્યુટિકલ કંપની ગ્લોબલ હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડ વિરુદ્ધ મોટું પગલું ભર્યું છે. આ કંપનીના ઓવર-ધ-કાઉન્ટર આઇ ડ્રોપના ઉપયોગથી યુએસમાં ઘણા લોકોની દ્રષ્ટિ ગુમાવવી પડી હતી અને એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું, ત્યારબાદ મંત્રાલયે ફાર્માસ્યુટિકલ કંપનીને આ આઇડ્રોપનું ઉત્પાદન બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. મનીકંટ્રોલના અહેવાલ મુજબ જાે તમને જણાવીએ તો, આરોગ્ય મંત્રાલયના એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે,”તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કંપનીને આઈડ્રોપ શ્રેણી હેઠળના તમામ ઉત્પાદનોનું ઉત્પાદન બંધ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.” ભારતમાં બ્લેમ્ડ આઈ ડ્રોપનું વેચાણ થતું નથી. મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે, રાજ્ય અને કેન્દ્ર સરકારના વરિષ્ઠ દવા નિરીક્ષકોની ટીમે ૩ ફેબ્રુઆરીએ ગ્લોબલ હેલ્થકેરના ઉત્પાદન એકમનું સંયુક્ત નિરીક્ષણ કર્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, ચેન્નાઈ સ્થિત કંપનીએ આર્ટિફિશિયલ ટિયર્સ નામના આઈડ્રોપ્સના ૨૪ બેચના બે કન્સાઈનમેન્ટ યુએસમાં નિકાસ કર્યા હતા. આ બેચ ૨૦૨૧ અને ૨૦૨૨ માં બનાવવામાં આવ્યા હતા. મનીકંટ્રોલના જણાવ્યા અનુસાર, આ સંયુક્ત તપાસ રિપોર્ટ જણાવે છે કે, ‘ઉપરોક્ત બેચનો કોઈ સ્ટોક મળ્યો નથી. પેઢીએ આ બેચના નિયંત્રણ નમૂનાઓ જાળવી રાખ્યા છે. આ કંટ્રોલ સેમ્પલના ચાર બેચમાંથી પૃથ્થકરણ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા.આ સેમ્પલનું હાલમાં પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ અગાઉ, યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (ેંજીહ્લડ્ઢછ) એ એક નિવેદનમાં કહ્યું હતું કે, તે ચેન્નાઈ સ્થિત કંપની ઇઝીકેર, એલએલસી અને ડેલસમ ફાર્મા દ્વારા ઉત્પાદિત ‘કૃત્રિમ આંસુ લ્યુબ્રિકન્ટ’ આઇડ્રોપ્સને સંભવિત દૂષણને કારણે પાછી ખેંચી રહ્યું છે. ગુરુવારે નિવેદનમાં જણાવાયું છે કે, આજની તારીખમાં, આંખને નુકસાન થવાના ૫૫ કેસ નોંધાયા છે, જેમાં આંખનો ચેપ, દ્રષ્ટિની કાયમી ખોટ અને લોહીના પ્રવાહના ચેપથી એક મૃત્યુનો સમાવેશ થાય છે. જણાવી દઈએ કે, આ ‘કૃત્રિમ આંસુ લ્યુબ્રિકન્ટ; જ્યારે આંખોમાં બળતરા થાય છે અથવા જ્યારે આંખો સુકાઈ જાય છે ત્યારે તેનો ઉપયોગ થાય છે. તેની વેબસાઈટ પર પોસ્ટ કરાયેલા એક નિવેદનમાં, કંપનીએ વિનંતી કરી છે કે, જથ્થાબંધ વેપારીઓ, છૂટક વિક્રેતાઓ અને ગ્રાહકો કે જેમની પાસે આ (રીકોલ્ડ) પ્રોડક્ટની પણ ઍક્સેસ હોઈ શકે છે તેઓ તેનો ઉપયોગ કરવાનું બંધ કરે છે.


