Delhi

ટ્રેનમાં બરાબર મુસાફરી ટાણે જ ટિકિટ ખોવાઈ જાય તો શું કરવું?.. અપનાવો આ રીત

નવીદિલ્હી
ભારતીય રેલવે દેશના વિવિધ વિસ્તારોમાં દરરોજ કરોડો લોકોને મુસાફરી કરાવે છે. જે લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે તેઓ ભારતીય રેલવેની તમામ સુવિધાઓથી પરિચિત હોવા જાેઈએ. કેટલીક વખત માહિતીના અભાવે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેમ કે મુસાફરી દરમિયાન અથવા મુસાફરી પહેલાં ટિકિટ ખોવાઈ જાય તો શું કરવું જાેઈએ. આવો અમે તમને જણાવીએ કે આવી સ્થિતિમાં તમે કઈ પ્રક્રિયાથી મુસાફરી કરી શકો છો. મુસાફરી દરમિયાન ્‌્‌ઈ તમને બિલકુલ પરેશાન કરી શકશે નહીં. આ માટે તમારે કેટલાક નિયમો જાણવાની જરૂર છે. ટિકિટ ખોવાઈ જવાના કિસ્સામાં, તમારે ્‌્‌ઈનો સંપર્ક કરવો પડશે અને તેને ૈંઇઝ્ર્‌ઝ્ર એપમાં કોચ અને બર્થનો સંદેશ બતાવવો પડશે. આ સિવાય બીજાે રસ્તો એ છે કે મુસાફરી પહેલા પેસેન્જરની મુસાફરીની વિગતો એટલે કે પીએનઆર સીટ નંબર, કોચ નંબર રેલવે સાઇડમાં મેસેજ કરવામાં આવે છે. તમે તે સંદેશો ્‌્‌ઈને બતાવીને પણ મુસાફરી કરી શકો છો. જાે તમારી પાસે મોબાઈલ અને ટિકિટ બંને નથી, તો આવી સ્થિતિમાં તમારે તાત્કાલિક ્‌્‌ઈ પાસે જવું પડશે. ્‌્‌ઈ તમને બીજી એક ટિકિટ બનાવી આપશે અને તમે તેની સાથે તમારી મુસાફરી પૂર્ણ કરી શકશો. આ માટે તમારે ્‌્‌ઈને ૫૦થી ૧૦૦ રૂપિયાનો દંડ ભરવો પડશે.

File-01-Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *