સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા નાવલી નદીના પટમાં ભરાતી શનિવારી બજારના લોહાણા મહાજન વાડી પાસે આવેલાં પુલ પર દબાણ હટાવવાની સૂચના આપવાની કામગીરીનો પોલીસ તંત્ર તથા નગરપાલિકા દ્વારા થયેલો પ્રારંભ. આ અગાઉ પણ અવારનવાર આ સંદર્ભે વર્તમાન પત્રોમાં સમાચાર પ્રસિદ્ધ થયાં હતાં કે શનિવારી બજારને યોગ્ય જગ્યાએ સ્થળાંતર કરવા માટે તંત્ર દ્વારા કોઈ યોગ્ય જગ્યા ફાળવવા વિચારણા કરવામાં આવે. જગ્યા તો હજુ ફાળવાય ત્યારે ખરું પરંતુ હાલ દબાણ હટાવવાની સૂચના આપવામાં આવી રહી છે.


