એસ. ટી.નિગમનાં મુખ્ય બસ સ્ટેન્ડ ખાતે મન કી બાત કાર્યકમ સાંભળવા માટે
બેઠક વ્યવસ્થાનું આયોજન
આગામી તા.૩૦/૪/૨૦૨૩ નાં રોજ વડાપ્રધાનશ્રીનાં રેડીયો માધ્યમ મારફત ” મન કી બાત “ કાર્યક્રમ યોજનાર છે.ત્યારે ખેડા જિલ્લાનાં નડિયાદ, ખેડા, કપડવંજ, માતર, મહુધા અને ડાકોર ખાતે એસ.ટી.નિગમનાં મુખ્ય બસ સ્ટેશન ખાતે મન કી બાત” કાર્યક્રમ સાંભળવા માટે બસ સ્ટેશન પર સાઉન્ડ સીસ્ટમ અને એલસીડી સુવીધા સાથે બેઠક વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે. જેનો તમામ પ્રજાજનોને બહોળા પ્રમાણમાં લાભ લેવા જિલ્લા એસ.ટી વિભાગીય નિયામક દ્વારા અપીલ કરવામાં આવી છે.
