આજ રોજ હડિયાણા ગામે સતવારા સમાજમાં પરમાર પરિવારના હડિયાણા ગ્રામ પંચાયતના માજી સરપંચ ભરતભાઇ દામજીભાઈ પરમાર ના પિતાજી અને પરિવાર ના મોભી સ્વ.દામજીભાઈ ભાણાભાઈ પરમાર નું તા.12 05.2023 ને શુક્રવાર ના રોજ દુઃખદ અવસાન થયું હતું.તેમની આજે તા.22.05.2023 ને સોમવાર ના રોજ ઉતરક્રિયા હતી. જેમાં હડિયાણા ગામના બ્રાહ્મણ.. રામાનદી સાધુ સમાજ..દશનામ સાધુ સમાજ નું બ્રહ્મ ચોર્યાસી નું મહાપ્રસાદ અને સતવારા સમાજની નાત નું સમુહ પ્રસાદ નું સુંદર આયોજન કરાયું હતું. અને બ્રહ્ન ચોર્યાસી ના તમામ લોકો ને પરમાર પરિવાર તરફથી શ્રી મદ ભાગવત ગીતાજી અને શ્રી કૃષ્ણ ભગવાનના ફોટા ની પ્રસાદી અર્પણ કરવામાં આવેલ છે..
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ :: હડિયાણા………..


