Gujarat

જામનગર જિલ્લામાં તમામ ડેમ, જળાશય, નદી કે સિંચાઈ યોજનાઓના કાંઠે સેલ્ફી લેવા પર પ્રતિબંધ જાહેર કરાયા

જામનગર જિલ્લામાં ભારે વરસાદ થવાના લીધે જિલ્લાના ડેમ અને સિંચાઈ યોજનાઓમાં
ઓવરફ્લો થયેલ છે. આ તમામ સ્થળોએ વિશાળ સંખ્યામાં લોકો હરવા- ફરવા માટે આવતા હોય અને ડેમ, જળાશય કે નદી કાંઠે
સેલ્ફી લેવા જતા સમયે દુર્ઘટના થતી હોય છે. તેથી આ સ્થળોએ લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાંરૂપે ડેમ, જળાશય કે
નદી કાંઠા પર પ્રતિબંધ મુકવો જરૂરી જણાય છે.
તેથી, આગામી તા. 31 ઓગસ્ટ સુધી જામનગર જિલ્લાના તમામ મહત્વના ડેમ/ સિંચાઈ યોજનાઓ/ જળાશય/ નદી કાંઠા પર
સેલ્ફી લેવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી બી. એન. ખેર, જામનગર દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. ઉક્ત
જાહેરનામાંના કોઈપણ ખંડનો ભંગ કરનારી વ્યક્તિ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ- 188 ની જોગવાઈ મુજબ શિક્ષાને
પાત્ર થશે. તેમજ, ડેમનો હવાલો ધરાવતા કાર્યપાલક ઇજનેરશ્રી દ્વારા લોકોને સહેલાઈથી જાણ થાય અને જોઈ શકાય તે રીતે
'નો- સેલ્ફી ઝોન' ના બોર્ડ મુકાવવાના રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *