Gujarat

સાવરકુંડલામાં દુર્ગાવાહિની અને માતૃશક્તિની બહેનો દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
પૌરાણિક કથા અનુસાર, રાજસૂય યજ્ઞ વખતે ભગવાન શ્રીકૃષ્ણને દ્વોપદીએ રક્ષા સ્વરૂપે પોતાના પાલવમાંથી કપડુ ફાડીને બાંધ્યું હતું  ત્યારબાદથી જ રક્ષાબંધનની શરૂઆત થઇ હતી.  સાવરકુંડલામાં દુર્ગાવાહિની અને માતૃશક્તિની બહેનો દ્વારા રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી. ભાઈ-બહેનનો પવિત્ર ગણાતો તહેવાર એટલે રક્ષાબંધન. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ પ્રેરિત દુર્ગાવાહિની અને માતૃશક્તિ સંગઠનની બહેનો દ્વારા સાવરકુંડલા ખાતે નાવલી ચોક વિસ્તારમાં આવેલ રિધ્ધિ સિધ્ધિનાથ મહાદેવ મંદિરના પૂજારીને રક્ષાબંધનની ઉજવણીના ભાગરૂપે રાખડી બાંધી ત્યારબાદ સાવરકુંડલા નાવલી ચોકી પાસે ટ્રાફિક પોલીસના જવાનો અને મોટી ગૌશાળા ખાતે તમામ ભાઈઓ, કે.કે. હોસ્પિટલના મેડિકલ ઓફિસર સહિતના ભાઈઓ, ૧૦૮ ની ટીમ અને હોમગાર્ડ સ્ટાફ અને સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન ભાઈઓને બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી. જેમાં સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પી.આઇ. એસ. એમ. સોની, પી.એસ.આઇ. અને સમગ્ર સ્ટાફના ભાઈઓ અને બહેનોને રક્ષાબંધન પર્વની ઉજવણીના ભાગરૂપે રાખડી બાંધીને લાંબી ઉંમર, સ્વસ્થ જીવન માટેની બહેનોએ પ્રાર્થના સાથે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી એમ યશપાલ વ્યાસની એક અખબારી યાદીમાં જણાવાયું હતું.

IMG-20230828-WA0019.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *