૧૯ નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપ ૨૦૨૩ની ફાઇનલ મેચ રમાશે. આ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે યોજાશે. આ હાઈપ્રોફાઈલ મેચ જાેવા માટે સ્ટેડિયમમાં અનેક હસ્તીઓ હાજર રહેશે. જેમાં પાકિસ્તાન ક્રિકેટ મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ ઝકા અશરફ પણ મેચ જાેવા સ્ટેડિયમમાં હાજર હશે. પીસીબી ચીફ ઝકા અશરફ આ મેચ પહેલા શનિવારે અમદાવાદમાં યોજાનારી આઈસીસી (આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બોર્ડ) એક્ઝિક્યુટિવ બોર્ડ (ઈબી)ની બેઠકમાં ભાગ લેવા ભારત પહોંચી ગયા છે. ઝકા અશરફ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ ઓપરેટિંગ ઓફિસર સલમાન નાસિર સાથે અમદાવાદ આવવા માટે રવાના થયા હતા.
ઝકા અશરફ રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ મેચ પણ જાેશે… આઈસીસી એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠકમાં વર્લ્ડ કપના આયોજન, સ્પર્ધામાંથી આવકની વસૂલાત અને દર્શકોની હાજરીની સમીક્ષા કરવામાં આવશે. પીસીબીના સૂત્રોના જણાવ્યા અનુસાર, ન્યૂઝ એજન્સી પીટીઆઈએ કહ્યું હતું કે ૫૦ ઓવરની ક્રિકેટના ભવિષ્ય અને ૨૦૨૫માં પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની અંગે પણ આઈસીસી એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.
અગાઉ ૧૪ ઓક્ટોબરે ઝાકા ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચ જાેવા માટે અમદાવાદ આવ્યા હતા. ભારતે આ મેચ સાત વિકેટે જીતી લીધી હતી. પાકિસ્તાન વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહ્યું હતું, જેના પછી બુધવારે બાબર આઝમે કેપ્ટનશિપ છોડી દીધી હતી.

