રાજ્યના સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ (સ્વતંત્ર હવાલો) લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માએ માળીયા તાલુકાના ખંભાળિયા ખાતે વાવાઝોડા આશરે સ્થાન ખાતે જરૂરી વ્યવસ્થાનું નિરીક્ષણ દરમિયાન સ્થળાંતરીત માલધારી પશુપાલકો સાથે સંવાદ કર્યો હતો અને સરકાર અને તંત્ર તમારી સાથે છે. વાવાઝોડા દરમિયાન અહીંયા એટલે કે સુરક્ષિત સ્થળોએ જ રહેવા માટે પણ જણાવ્યું હતું. મંત્રીશ્રીએ માલધારી શ્રી જગાભાઈ પુંજા અને સાજણબેન માયાભાઈ કોડીયાતર સાથે સંવેદનાપૂર્વક તેમના પાસે કેટલાં પશુઓ વગેરે વિગત જાણી તેમના ખબર અંતર મેળવ્યા હતા.


