રાજકોટ
રાજકોટમાં મકાનમાંથી નિવૃત ઁજીૈંનો મૃતદેહ મળ્યો હોવાની ઘટના સામે આવી છે. રાજકોટની સહકાર સોસાયટીમાં આવેલા મકાનમાંથી આ મૃતદેહ મળ્યો છે. નિવૃત ઁજીૈં એમ.એચ.ટાંકનો આ મૃતદેહ હોવાનું સામે આવ્યું છે. ભક્તિનગર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. ઁજીૈં એકલા મકાનમાં રહેતા હતા તેવું પણ સામે આવ્યું છે. મકાનમાંથી દુર્ગંધ આવતા આસપાસના લોકોએ ૧૦૮ને જાણ કરી હતી. ઘર ખોલી જાેતાં તમ લોકો અચંભામાં મુકાયા હતા. ઘટનાને લઈ પોલીસને પ જાણ કરવામાં આવી જેથી તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે ॅજૈ ના મૃતદેહને કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ મૃતદેહને પોસમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. જે બાદ બીમારી સબબ આ મૃત્યુ થયું છે કે કોઈ અન્ય કારણ છે તેને લઈ તપાસ કરવામાં આવશે.


