National

મૂર્તિ દંપતીએ સોનાથી બનેલા ‘અભિષેક શંખમ’ અને કાચબાનું દાન કર્યું

તિરુપતિ
દેશની અગ્રણી આઈટી કંપની ઈન્ફોસિસના સ્થાપક એન. નારાયણ મૂર્તિ અને તેમની પત્ની સુધા મૂર્તિ રવિવારે તિરુપતિ બાલાજીના મંદિરે પહોંચ્યા હતા. મૂર્તિ દંપતીએ અહીં સોનાથી બનેલા ‘અભિષેક શંખમ’ અને ‘કુર્મમ’ (કાચબો)નું દાન કર્યું હતું. બંનેનું વજન લગભગ ૨ કિલો છે. જાણો આ દાન શા માટે ખાસ છે અને તેનું શું મહત્વ છે? નારાયણ મૂર્તિ અને સુધા મૂર્તિ, તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટના સભ્ય ઈ.ર્ં. ધર્મા રેડ્ડીને દાનમાં આપેલ ‘અભિષેક શંખમ’ અને ‘કુર્મમ’ સોંપ્યું. આ ખાસ પ્રસંગે બંને મંદિરના રંગનાયકુલા મંડપમાં ગયા હતા. સુધા મૂર્તિ અગાઉ તિરુપતિ બાલાજી મંદિરના ટ્રસ્ટના સભ્ય પણ રહી ચૂક્યા છે. મૂર્તિ દંપતી દ્વારા દાનમાં આપવામાં આવેલ ‘અભિષેક શંખમ’ ખાસ રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે. તે એક બાજુથી ખુલ્લું છે. આ ઉપરાંત ‘કુર્મમ’ એટલે કે કાચબો પણ દાનમાં આપવામાં આવ્યો છે. આ બંનેનો ઉપયોગ સ્વામી અમ્માવરના ‘અભિષેક’માં થાય છે. કુર્મમમાં પીઠનો ભાગ ખાલી છે જે શંખમ મૂકીને ભરાય છે. મૂર્તિ દંપતીના આ દાનને ‘ભૂરી’ દાન પણ કહેવાય છે. બજાર કિંમત પ્રમાણે ‘શંખમ’ અને ‘કુર્મમ’ની કિંમત લગભગ ૧.૨૫ કરોડ રૂપિયા છે. હાલમાં બજારમાં સોનાની સરેરાશ કિંમત ૬૧,૦૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામની આસપાસ છે. તે મુજબ ૨ કિલો સોનાની કિંમત અંદાજે ૧.૨૫ કરોડ રૂપિયા છે. તિરુમાલા તિરુપતિ બાલાજી મંદિરમાં પ્રાચીન સમયથી રાજાઓ અને સમ્રાટો સોનું, રોકડ અને જમીનનું દાન કરતા આવ્યા છે. હાલમાં પણ લોકો આ મંદિરમાં સોનું, રત્ન અને ઝવેરાત વગેરેનું દાન કરે છે. આ સિવાય મોટા નેતાઓ, અભિનેતાઓ, ઉદ્યોગપતિઓ અને સેલિબ્રિટીઓ આ મંદિર સુધી પહોંચે છે. એવું માનવામાં આવે છે કે આવા દાનથી ભગવાન વેંકટેશ તેમની સમસ્યાઓ દૂર કરે છે.

File-02-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *