Gujarat

મણિપુરમાં સ્થિતિ ખરાબ… ફરી કર્ફ્‌યું લગાવવો પડ્યો

મણિપુરમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. હિંસક દેખાવો બાદ પ્રશાસને સમગ્ર ઇમ્ફાલ ઘાટીમાં ફરી કર્ફ્‌યુ લગાવી દીધો છે. કર્ફ્‌યુ અંગે જણાવવામાં આવ્યું છે કે આતંકવાદી સંગઠનના એક સભ્ય સહિત ૫ લોકોની મુક્તિ માટે કેટલાક લોકોએ હિંસક પ્રદર્શન કર્યું હતું, ત્યારબાદ પ્રશાસને કર્ફ્‌યુ લગાવવો પડ્યો હતો. આ લોકોની ગયા અઠવાડિયે ખંડણીના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. મીરા પાબીસ સંગઠનના સભ્યો સહિત મોટી સંખ્યામાં લોકો પાંચેય લોકોની મુક્તિની માંગ કરી રહ્યા હતા, ત્યારે હિંસા પણ ફાટી નીકળી હતી. મે મહિનાની શરૂઆતથી જ મણિપુરમાં સ્થિતિ ખરાબ છે. નોર્થ ઈસ્ટનું આ નાનકડું રાજ્ય કેટલાય મહિનાઓથી હિંસાની ઝપેટમાં છે. મેઇતેઈ અને કુકી સમુદાયો વચ્ચે જાતિય હિંસામાં ડઝનેક લોકોએ જીવ ગુમાવ્યા. ગુરુવારે ફરી હિંસા ફાટી નીકળતાં ઇમ્ફાલમાં ૧૦ લોકો ઘાયલ થયા હતા.

લોકો પોલીસ સ્ટેશનમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે સેનાએ તેમને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા હતા. તેઓ પાંચ લોકોની બિનશરતી મુક્તિની માંગ કરી રહ્યા હતા. મણિપુરમાં જાતિય હિંસામાં સંક્ષિપ્ત અંધારપટ વચ્ચે ઈમ્ફાલમાં કર્ફ્‌યુમાં રાહત આપવામાં આવી હતી. જાે કે હિંસા બાદ ફરીથી કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પાંચેય માણસો કથિત રીતે સામાન્ય લોકો પાસેથી પૈસા પડાવતા હતા અને તેમની પાસે એકે-૪૭ અને ઇન્સાસ રાઇફલ્સ જેવા ઘાતક હથિયારો મળી આવ્યા હતા, જે પોલીસ શસ્ત્રાગારમાંથી લૂંટી લેવામાં આવ્યા હતા. બિમોલા નામના એક વ્યક્તિએ આ લોકોને મુક્ત કરવાની માંગ કરતા કહ્યું કે જાે પોલીસ તેમને મુક્ત નહીં કરે અને ગામના સ્વયંસેવકોની ધરપકડ કરવામાં આવશે તો મીતેઈનું રક્ષણ કોણ કરશે?.. સ્થાનિક ક્લબો અને મીરા પાબીસ નામની સંસ્થાએ પોલીસ સ્ટેશન પાસે વિરોધ પ્રદર્શન કરવા લોકોને એકઠા કર્યા હતા.

સેંકડો લોકો હાથમાં પ્લેકાર્ડ લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. તેઓ ઉત્તર ઇમ્ફાલમાં પ્રોમ્પ્ટ પોલીસ સ્ટેશનમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સમાન દેખાવો ઇમ્ફાલ પશ્ચિમમાં પણ થયા હતા અને વિરોધીઓએ સિંગજામેઇ પોલીસ સ્ટેશન અને ક્વાકિથલ પોલીસ સ્ટેશનમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. એ જ રીતે, ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં માયાંગ પોલીસ સ્ટેશન અને એન્ડ્રો પોલીસ સ્ટેશનની નજીક પણ વિરોધ જાેવા મળ્યો હતો. પોલીસે જુલાઈ મહિનામાં કડક ચેતવણી જારી કરીને લોકોને પોલીસ યુનિફોર્મનો દુરુપયોગ કરવાનું બંધ કરવા કહ્યું હતું. એવા સમાચાર હતા કે સશસ્ત્ર તોફાનીઓ પોલીસના યુનિફોર્મનો ઉપયોગ કરીને પોલીસ પ્રશાસન સામે ભડકાવી રહ્યા છે. કેટલાક લઘુમતી જૂથો તોડફોડમાં સામેલ પાંચ લોકોને છોડાવવા માટે પોલીસ પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

કેટલાક જૂથોએ ૪૮ કલાકની હડતાળની હાકલ કરી હતી પરંતુ વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું હતું કે કાયદો તેનો માર્ગ અપનાવશે. પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા ૪૫ વર્ષીય એમ આનંદ સિંહ કાંગલીપાક કમ્યુનિસ્ટ પાર્ટી ન્યોન ગ્રુપના સભ્ય છે અને આ સંગઠન ેંછઁછ હેઠળ પ્રતિબંધિત છે. તેના પર રીઢો ગુનેગાર હોવાનો આરોપ છે અને તે નેશનલ સિક્યુરિટી એક્ટ (દ્ગજીછ) સહિત છ વખત જેલમાં જઈ ચૂક્યો છે.

File-01-Page-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *