Gujarat

વિલિયમ્સ કિરણ મોરેને હેલો નથી કહેતો એટલે કોચ તરીકે પસંદ કરવામાં આવ્યો નથી ઃ ઈરફાન પઠાણ

અમદાવાદ
મ્ઝ્રછ માં આંતરિક ડખો હવો સપાટી પર આવ્યો છે. પૂર્વ ભારતીય ક્રિકેટર ઈરફાન પઠાણે એક ઈ-મેઈલ બરોડા ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારોને મોકલ્યો છે. લેટર બોમ્બ સ્વરુપ ઈ-મેઈલમાં ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. ઈરફાન પઠાણે મેઈલમાં લખ્યુ છે કે, વ્યક્તિગત અહમને લઈ કોચની નિયૂક્તિમાં સમસ્યા સર્જાઈ છે. વિલિયમ્સ પૂર્વ ભારતીય ક્રિકેટર કિરણ મોરેને હેલો નથી કહેતો અને આ માટે થઈને તેને કોચ તરીકે પસંદ કરવામાં આવ્યો નથી. ઈરફાન પઠાણે મોટો આરોપ આમ મેઈલ મારફતે કરી દીધો છે. આગળ પણ લખ્યુ છે કે, કિરણ મોરેએ કરેલુ આ વર્તન ગરવાજબી હોવાનુ ગણાવ્યુ છે અને પોતે નિરાશ થયો હોવાનુ ઈરફાન પઠાણે લખ્યુ છે. કોઈ પણ વ્યક્તિ એસોસિએશન કે ક્રિકેટથી મોટો નથી હોતો. અહમ બાજુએ મુકીને ક્રિકેટ અને મ્ઝ્રછ ના હિતમાં ર્નિણય લેવો જાેઈએ એમ પણ ઈરફાને મેઈલમાં લખ્યુ છે. તાજેતરમાં ઝ્રછઝ્ર ની બેઠક મળી હતી ત્યારબાદ મતભેદો સામે આવ્યા હતા. આમ હવે કોચની નિયૂક્તિને લઈ વિવાદ વકર્યો હોવાનુ સામે આવ્યુ છે.

File-02-Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *