કઠલાલ કોમ્યુનિટી હોલ ખાતે બ્રહ્મ સમાજ દ્વારા બેઠક યોજવામાં આવી હતી.આ પ્રસંગે બ્રહ્મ રત્ન એવોર્ડ તથા ધાર્મિક કાર્યક્રમોમાં સહયોગ કરનાર ને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. કઠલાલ નગરમાં સમસ્ત બ્રહ્મ સમાજ અને સનાતન હિંદુ સમાજ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે જેમાં મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરી શિવ પાર્વતી વિવાહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ પર્વમાં સહભાગી થનાર સૌ શહેર અને તાલુકાના સહભાગી થનાર ને સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું અને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.પાર્થ વ્યાસ અને જીતુભાઈ ભટ્ટ દ્વારા સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા માટે ભારે જહમત ઉઠાવવામાં આવી હતી.બ્રહ્મ સમાજ તેમજ સનાતન હિંદુ સમાજ દ્વારા પાર્થ વ્યાસ અને જીતુભાઈ ભટ્ટને સારા કાર્ય અને સુંદર આયોજન બદલ શુભેચ્છા સહ અભિનંદન આપવામાં આવ્યા હતા.આ પ્રસંગે શહેર અને તાલુકાના અગ્રણીઓ,આગેવાનો,નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
![](https://jantakijankarinews.com/wp-content/uploads/2024/03/IMG-20240318-WA0012-1210x642.jpg)