Gujarat

અંબાજી નજીક છાપરી પ્રાથમિક શાળાના બાળકો વહેતા પાણીમાં જીવના જોખમે સ્કૂલ જાવા મજબૂર બન્યા

ગુજરાત અને રાજસ્થાનના સરહદ છાપરી પર આવેલી સરહદ છાપરી પ્રાથમિક શાળામાં 1 થી 5 ધરણના બાળકો અભ્યાસ કરે છે આ શાળામાં 50 જેટલા બાળકો વેહતા પાણીમાં થઈ સ્કૂલ જવા મજબૂર બન્યા હજી તો વરસાદની શરૂઆત છે અને ઉપલા વાસમાં વધુ પડતો વરસાદ થવાના કારણે સહરદ છાપરી પાસે આવેલી પ્રાથમિક શાળા એકમાત્ર મુખ્ય માર્ગ રોડ પાણીમાં થઈને જઈ રહ્યો છે તેને લઈને ઉપરવાસમાં જો ભારે વરસાદ પડે તો આ રોડ પાણીમાં ઘરકાવ કરી જાય છે અને ભારે વરસાદ પડે તો સ્કૂલ માં ભણતા બાળકો સ્કૂલમાં ના જઈ શકે અને જો સ્કૂલ જાય તો વહેતા પાણીમાં તણાવવાનો પણ ભય હોય છે ત્યારે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે આ શાળાની મુલાકાત લઇ વધુ પાણી આવે તે પહેલા પાર બાંધી ઉચ્ચ વ્યવસ્થા કરવી જોઈએ જેથી કરીને કોઈ મોટી જાનહાની ના થાય શાળામાં 50 ઉપરાંત બાળકો હાલ અભ્યાસ કરી રહ્યા છે ત્યારે આ નાના નાના બાળકો માટે તંત્ર કોઈ સારી વ્યવસ્થા કરી આપે તેવી વાલીઓ પણ માંગ કરી રયા છે
*તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે આ શાળાની મુલાકાત લઇ, પાણી આવે પહેલા પાર બાંધવી જોઈએ*
દાંતા તાલુકામાં વધુ વરસાદ પડવાના કારણે નદીનાાળાઓમાં નવા આવ્યા છે માટે શાળાનો સ્કૂલ જતો એકમાત્ર રોડ પણ ભારે વરસાદના લીધે તૂટી ગયો છે પણી આવા ના કારણે પાણીમાં સમાઈ જાય છે બાળકોને અભ્યાસ કરવા માટે વહેતા પાણી વટાવીને શાળાએ જવું પડે છે જેના કારણે સ્કૂલમાં આવતા બાળકોની સંખ્યા પણ ઘટી છે અને શાળાની અમે મુલાકાત લીધી ત્યારે માત્ર 16 બાળકો શાળાએ અભ્યાસ કરવા પહોંચી શક્યા હતા શાળામાં હાજર શિક્ષિકોએ કેમેરા આગળ બોલવાનું ના પાડ્યું હતું પણ તેમને જણાવ્યું હતું કે અગાઉ અમે લેખિત રજૂઆત કરી છે છતાં પણ અત્યાર સુધી તંત્ર દ્વારા કઈ પગલા લેવામાં આવ્યા નથી અને જ્યારે નદી ભરપૂર ચાલે છે ત્યારે કેર સમાં પાણી થાય છે સ્કૂલમાં અભ્યાસ કરવા બાળકો આવી શકતા નથી કા તો તેમને ડુંગરો વટાવીને સ્કુલે આવું પડે છે જેના કારણે બાળકોના અભ્યાસ ઉપર અસર પડે છે અને બાળકોનો જીવ પણ જોખમે મુકાય છે
વરસાદ થાય તો સ્કૂલના મુખ્ય માર્ગ પર કેર સમા પાણી વહેતા થાય છે  કેટલાય વર્ષોથી આમ જ શાળાના બાળકો આ સ્કૂલમાં ભણવા જતા હોય છે પ્રાથમિક શાળા હોવાથી નાના બાળકો આ પાણીમાં ઘણીવાર પડી પણ જતા હોય છે માટે તંત્ર દ્વારા કાં તો બ્રિજનું નિર્માણ કરવો જોઈએ અથવા તો અન્ય કોઈ માર્ગ ની વ્યવસ્થા કરવી જોઈએ જેથી બાળકોને અભ્યાસ ઉપર પાણી કે વરસાદ વિઘ્ન ના બની શકે અને બાળકો નિર્વિઘ્ને અભ્યાસ કરી શકે માટે રાજ્ય સરકાર દ્વારા આ સહરદ છાપરી પર આવેલી પ્રાથમિક શાળામાં ઉચ્ચ વ્યવસ્થા બાળકો માટે કરે તેવી શાળા ના શિક્ષકો અને વાલીઓની માંગ છે…..