Gujarat

અંબાજી ખાતે કોંગ્રેસે જાહેર સભા યોજી ભાજપ અને મોદીજી ઉપર કર્યા પ્રહારો

અંબાજી ના ઇતિહાસમાં પહેલી વાર આટલી મોટી સંખ્યામાં લોકો સભામાં જોડાયા – અંબાજી શહેર પ્રમુખ
 ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દરેક પક્ષો પોતપોતાની પક્ષની સભાઓ યોજી રહ્યા છે અને એકબીજા ઉપર પ્રહારો કરી રહ્યા છે ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે કોંગ્રેસ ની આજે જાહેર સભા યોજાઇ હતી જેમાં ઇન્દ્રનીલ રાજગુરુએ ભાજપ અને મોદીજી ઉપર પ્રહારો કર્યા હતા અને ગેનીબેન આ વખતે જીતે છે એવી વાતો કરતાં જોવા મળ્યા હતા દસ વર્ષ પહેલા ભજપે 15 લાખનો પૂરો બતાવી બધાને ડબ્બે પૂરી દીધા છે ભાજપે મુખમાં રામ અને બગલમાં છૂરી લઈ આવનાર માણસોને ઓળખવા પડશે મોદીજી લોકશાહીને ખતમ કરવાનું કામ  કરશે તમને મત નો અધિકાર નહી રહેવા દે આવું ઇન્દ્રનીલ રાજગુરુ જણાવ્યું હતું મોટી સંખ્યામાં પદ અધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અંબાજી શહેર કોંગ્રેસ પ્રમુખ અંબાજી ઇતિહાસમાં પહેલી વખત આટલી મોટી સંખ્યામાં લોકો સભામાં જોડાયા તે જણાવ્યું હતું