સાવરકુંડલા છેવાડાના વિસ્તારના લોકો નદીને એક કાંઠે તો કાંઠે તરફ બારેમાસ આવન જાવન કરી શકે તે માટે ધારાસભ્યશ્રી દ્વારા વિસ્તારની મુલાકાત દરમિયાન તાત્કાલિક બ્રિજ બનવાની કામગીરી ચાલુ કરવામાં આવે તે પહેલા આ રસ્તાને ચાલુ કરવાનો નગરપાલિકા પ્રમુખશ્રી મેહુલભાઈ ત્રિવેદી સૂચના આપેલ તે અનુસંધાને પ્રમુખશ્રી સહિત વિદ્યુત વિભાગના બોરડ સાહેબ ,શહેર ભાજપ મહામંત્રી રાજેશભાઈ નાગ્રેચા, બાંધકામ સમિતિના ચેરમેન લાલાભાઇ ગોહિલ વિસ્તારના સદસ્યશ્રીઓ પ્રતિનિધિ સોહિલભાઈ શેખ, સદસ્ય,નગમાબેન જાખરા, બાંધકામના અધિકારી તેમજ વિસ્તારના આગેવાનો સાથે રાખીને પ્રમુખશ્રી સ્થળ તપાસણી કરી અધિકારીને સૂચના આપેલ અને તાત્કાલિક વિસ્તારમાં આવેલ ઇલેક્ટ્રીકના થાંભલા દૂર કરવામાં આવશે તેમજ રસ્તો ચાલુ કરવામાં આવશે

