Gujarat

કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા સીતારમણ શનિવારે એટલે કે ૨૦ એપ્રિલ ૨૦૨૪ના રોજ ગુજરાતના પ્રવાસે

કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા સીતારમણ શનિવારે એટલે કે ૨૦ એપ્રિલ ૨૦૨૪ના રોજ ગુજરાતના પ્રવાસે આવશે. આ મુલાકાત દરમિયાન સીતારામન અમદાવાદ અને વડોદરામાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપવાના છે.સૌપ્રથમ, નાણાં મંત્રી “વિકાસિત ભારત જ્ર ૨૦૪૭” કાર્યક્રમમાં ચર્ચામાં ભાગ લેશે, જે સવારે ૧૦ઃ૩૦ વાગ્યે અમદાવાદના આશ્રમ રોડ પર જીસીસીઆઈ કેમ્પસમાં યોજાશે.

ત્યાર બાદ સીતારામન બપોરે ૧૨ વાગ્યાની આસપાસ અમદાવાદના એસજી હાઇવે પર આવેલા ભાજપના સ્ટેટ મીડિયા સેન્ટરમાં પ્રેસ કોન્ફરન્સ કરશે.ત્યાર બાદ એફએમ વડોદરામાં હશે, જ્યાં તેઓ સયાજીગંજની સૂર્ય પેલેસ હોટેલમાં “ફોરકાસ્ટ ઓફ ઇન્ડિયન ઇકોનોમી” કાર્યક્રમમાં હાજરી આપશે. તેમનો છેલ્લો જાહેર કાર્યક્રમ વડોદરામાં દક્ષિણ ભારતીય સમુદાયના લોકો સાથેની બેઠક હશે, જે સૂર્ય પેલેસ હોટલમાં પણ સાંજે ૫ઃ૩૦ વાગ્યે યોજાશે.