Haryana

ડાયાલિસિસ સેન્ટરનાં લોકાર્પણમાં આમંત્રણ નહીં મળતાં ઇમરાન ખેડાવાલાએ તક્તી પર કાળો સ્પ્રે છાંટ્યો

અમદાવાદ શહેરમાં નવા વધુ એક ડાયાલિસિસ સેન્ટર શરુ કરવામાં આવ્યું છે. જાેકે આ કેન્દ્રની શરુઆત થાય એ પહેલા જ થોડોક વિવાદ ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને પોતાને આમંત્રણ નહીં મળ્યાને લઈ રોષે ભરાયા હોય એમ કાળો સ્પ્રે છાંટ્યો હતો. ધારાસભ્ય ખેડાવાલાએ લોકાર્પણની તકતી પર જ કાર્યક્રમ શરુ થાય એ પહેલા જ છાંટી દીધો હતો. ધારાસભ્ય ખેડાવાલાએ પહેલાતો અધિકારીઓ સામે રોષ ઠાલવ્યો હતો તુતુમૈમૈ કરી હતી. બાદમાં તેઓએ તક્તી પર જ કાળો સ્પ્રે છાંટી દીધો હતો. મેયર પ્રતિભા જૈને કહ્યુ હતુ કે, કોંગ્રેસના લોકોની માનસીકતા જ આ પ્રકારની રહી છે. તેઓની હલકી માનસીકતા રહી છે અને આ રીતે વિરોધ કર્યો છે.

File-02-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *