સાવરકુંડલા શહેરમાં ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા તાલુકા બ્રાંચ દ્વારા રહીશભાઈ ઉસ્માનભાઈ સવટના ચહેલૂમ શરીફ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે રકતદાતાએ બહોળા પ્રમાણમાં રક્તદાન કરીને માનવસેવાનું કાર્ય કરેલ અને આવતા સમયમાં મોટા બ્લડ કેમ્પ અંગે પણ રહીશભાઈના પરિવાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. આમ પણ રક્ત ફેકટરીમાં બનતું નથી. અને રકતદાતાએ કરેલ રક્તદાન દ્વારા ઘણીવખત કોઈની જીંદગી પણ બચી શકે છે.

રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલાના સેક્રેટરી મેહુલભાઈ વ્યાસ તથા તેમની ટીમ દ્વારા થતી આવી ઉમદા માનવસેવાની પ્રવૃત્તિઓની શહેરમાં ખરા અર્થમાં પ્રશંસા થઈ રહી છે આ બ્લડ કેમ્પમાં ડો. વડેરા સાહેબ તથા ડો. પીપળીયા સાહેબની પણ વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી .
બિપીન પાંધી સાવરકુંડલા