પર્યાવરણ માટે ઉત્તમ કાર્ય કરનાર પર્યાવરણ પ્રેમી શિક્ષકોનું સન્માન કરવા માટે શ્રી પુલકિતભાઈ જોશી – મદદનીશ સચિવ, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ અને માધવ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ દ્વારા આગામી 27 એપ્રિલ 2025 ને રવિવારના રોજ ટાઉનહોલ, સેક્ટર-17 ગાંધીનગર ખાતે પર્યાવરણ સંરક્ષક એવોર્ડ-2025 નું આયોજન કરવામાં આવેલ છે. પ્રવર્તમાન સમયમાં પર્યાવરણ સંરક્ષણની તાતી જરૂરિયાત છે ત્યારે પર્યાવરણ બચાવવા માટે અને આવનાર પેઢીને ગ્લોબલ વોર્મિંગની દુરોગામી અસરોથી બચાવવા સમાજને શિક્ષક પર સૌથી વધારે ભરોસો હોય છે.
શિક્ષકો દ્વારા શાળામાં પ્લાસ્ટિક મુક્ત શાળા, મારી શાળા – સ્વચ્છ શાળા, ગ્રીનશાળા, કિચન ગાર્ડન, વૃક્ષારોપણ જેવા કાર્યો કરતા હોય છે. જેની અસર તમામ વિદ્યાર્થીઓ પર થાય છે. તેથી વિદ્યાર્થીઓ બાળપણથી જ પ્રકૃતિ પ્રત્યે જાગૃત થઈ પર્યાવરણ સંરક્ષક બને છે.
છોટાઉદેપુર જિલ્લાના સંયોજક શ્રી પટેલિયા પ્રવીણકુમાર એસ. આચાર્યશ્રી અછાલા પ્રા.શાળા અને સહસંયોજક શ્રી મકવાણા જગદીશકુમાર શિક્ષકશ્રી રોજકુવા પ્રા. શાળા તથા નટવરસિંહ કે. ચૌહાણ સીઆરસી કૉ. ઓર્ડીનેટરશ્રી વાલોઠી દ્વારા જિલ્લાના પર્યાવરણ પ્રેમી તેમજ પર્યાવરણ રક્ષણની પ્રવૃત્તિઓ કરતા શિક્ષકો આ એવોર્ડથી માહિતીગાર થાય તે માટે સોશિયલ મીડિયા દ્વારા પ્રચાર પ્રસાર કરી અને સંકલન કરી જિલ્લાના 105 થી વધુ શિક્ષકોને આ કાર્યક્રમમાં સહભાગી બનાવ્યા છે.
જેમાં છોટાઉદેપુર તાલુકામાંથી-39 બોડેલી-32 પાવીજેતપુર-12 નસવાડી-14 સંખેડા-2 અને કવાંટ-6 એમ મળી કુલ-105 શિક્ષકોને ગાંધીનગર ખાતે પર્યાવરણ સંરક્ષક એવોર્ડ-2025 થી સન્માનિત કરવામાં આવશે. જે છોટાઉદેપુર જિલ્લામાં પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓને વેગ આપશે તેમજ જિલ્લાના શિક્ષણમાં વિભાગ માટે ગૌરવની બાબત છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર