ઇટલીમાં ૯ થી ૧૨ એપ્રિલ દરમિયાન એરલાઇન અને રેલ્વે ક્ષેત્રોમાં ચાલી રહેલી હડતાળથી મેલોની સરકાર માટે એક મોટી સમસ્યા ઊભી થઈ છે. જાે કે, મેલોની સરકાર પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ સાથે જ મૂંઝવણ પણ યથાવત છે. એરલાઇન્સથી લઈને રેલ્વે સુધી, દરેક ક્ષેત્રમાં હડતાળને કારણે લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે. સામાન્ય લોકો તેમની મુસાફરી યોજનાઓ વિશે મૂંઝવણમાં છે.
રેલ્વે મુસાફરોને પણ મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જીૈં-ર્ઝ્રંમ્છજી યુનિયન દ્વારા ૧૦ એપ્રિલે રાત્રે ૯ વાગ્યાથી ૧૧ એપ્રિલે રાત્રે ૮:૫૯ વાગ્યા સુધી ૨૪ કલાકની રેલ હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. ટ્રેનોનું સંચાલન કરતી કંપની, ટ્રેનોર્ડે જણાવ્યું હતું કે હડતાળ લોમ્બાર્ડી ક્ષેત્રમાં પ્રાદેશિક, એરપોર્ટ અને લાંબા અંતરની સેવાઓને અસર કરી શકે છે. જાેકે, કેટલીક આવશ્યક સેવાઓ સવારે ૬ થી ૯ વાગ્યા સુધી અને સાંજે ૬ થી ૯ વાગ્યા સુધી ચાલુ રહેશે.
એરલાઇન ઇઝીજેટના ફ્લાઇટ આસિસ્ટન્ટ્સે ૯ એપ્રિલે ચાર કલાકની દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. આ હડતાળ સવારે ૧૦:૩૦ થી બપોરે ૨:૩૦ વાગ્યા સુધી ચાલી હતી. યુનિયનો કહે છે કે કામના કરાર સુધારવા માટે ચાલી રહેલી વાટાઘાટો નિષ્ફળ ગઈ છે. જાેકે ઇઝીજેટે હજુ સુધી કોઈ ફ્લાઇટ રદ કરી નથી, મુસાફરોને એરલાઇન પાસેથી તેમની ફ્લાઇટ્સ વિશે માહિતી મેળવવાની સલાહ આપવામાં આવી છે.
મિલાનના લિનેટ અને માલપેન્સા એરપોર્ટના ડ્રાઇવરોએ પણ તે જ દિવસે એક જ સમયે હડતાળ પાડી હતી. પાલેર્મો એરપોર્ટના કામદારોએ સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી હડતાળનું આયોજન કર્યું છે. જાેકે, ઇટાલીના નાગરિક ઉડ્ડયન સત્તામંડળ ઈદ્ગછઝ્ર એ જણાવ્યું છે કે સવારે ૭ થી ૧૦ વાગ્યા અને સાંજે ૬ થી ૯ વાગ્યા સુધીની ફ્લાઇટ્સ સલામત રહેશે અને સમયપત્રક મુજબ કાર્યરત રહેશે. એવું માનવામાં આવે છે કે આવા મુશ્કેલ સમયમાં, મેલોનીએ આ હડતાળનું સંચાલન કરવાની જવાબદારી તેમના તમામ અધિકારીઓને સોંપી છે.
મેલોની સરકાર માટે આ હડતાળથી મોટી મુશ્કેલીઓ ઊભી થઈ છે. માત્ર મજૂર સંગઠનો જ ગુસ્સે નથી, પરંતુ સામાન્ય જનતા પણ અસુવિધાથી પરેશાન છે. પરિવહન ક્ષેત્રમાં આ અશાંતિ ઇટાલીની છબીને પણ અસર કરી રહી છે, ખાસ કરીને જ્યારે દેશ પ્રવાસન મોસમ તરફ આગળ વધી રહ્યો છે. હવે જાેવાનું એ રહે છે કે મેલોની સરકાર આ કટોકટીનો સામનો કેવી રીતે કરે છે અને મુસાફરોને જલ્દી રાહત મળે છે કે કેમ.