મહારાષ્ટ્રના નાગપુરમાં એક એલ્યુમિનિયમ ફોઇલ ફેક્ટરીમાં અચાનક ભયંકર મોટા વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી હતી જેના કરને ૫ લોકોના મોત થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્ફોટ સાંજે ૭ વાગ્યાની આસપાસ થયો હતો. વિસ્ફોટ પછી, લગભગ એક કિલોમીટર દૂર સુધી ધુમાડો દેખાતો હતો.
શુક્રવારે નાગપુરના ઉમરેડ સ્ૈંડ્ઢઝ્રમાં એલ્યુમિનિયમ ફોઇલ બનાવતી ફેક્ટરીમાં આગ લાગી હતી. આમાં ૬ લોકો ઘાયલ થયા હતા, જેમને નાગપુરની સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી ૨ લોકોના મોત થયા છે. નાગપુર ગ્રામીણ એસપી હર્ષ પોદ્દારે ૫ લોકોના મોત અંગે માહિતી આપી હતી. ઘટના અંગે જણાવવામાં આવી રહ્યું છે કે ફેક્ટરીમાં એલ્યુમિનિયમ પાવડરના કારણે આગ વધુ તીવ્ર બની હતી.
આ સાથે એસપી હર્ષ પોદ્દારે એમ પણ જણાવ્યું કે આ વિસ્ફોટ ફેક્ટરીના પોલિશ ટ્યુબિંગ યુનિટમાં થયો હતો. આ પછી આગ ફાટી નીકળી હતી, જેને કાબુમાં લેવા માટે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કલાકોની મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે ધુમાડો દૂર દૂર સુધી દેખાતો હતો.
આગ ની ઘટના મામલે એસપી હર્ષ પોદ્દારે જણાવ્યું કે આ ફેક્ટરી નાગપુરના ઉમરેડ તાલુકામાં આવેલી છે. જ્યારે ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. તે સમયે ફેક્ટરીમાં કુલ ૮૭ લોકો હાજર હતા. આમાંથી કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ બે ઘાયલોના જીવ બચાવી શકાયા નહીં અને તેમનું મૃત્યુ થયું. આ ઘટનાની માહિતી મળતાં ધારાસભ્ય સંજય મેશ્રામ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ભૂતપૂર્વ ધારાસભ્ય રાજુ પાર્વે પણ તેમની સાથે હતા.