National

જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા પૂંછમાં પાકિસ્તાનના ગોળીબારમાં ઘાયલ થયેલા લોકોને મળ્યા

ભારતીય સેના ના ઓપરેશન સિંદૂરમાં ૯ આતંકવાદી ઠેકાણાઓનો નાશ અને ૯૦ થી વધુ આતંકવાદીઓને ઠાર માર્યા બાદ પાકિસ્તાન ગભરાટની સ્થિતિમાં છે. આ દરમિયાન, ગુરુવારે (૮ મે, ૨૦૨૫) ના રોજ જમ્મુ-કાશ્મીરના પૂંછમાં ભારતીય અને પાકિસ્તાની સેના વચ્ચે ગોળીબાર થયો હતો. આ ગોળીબારમાં ભારતીય સેનાના એક સૈનિકને ગોળી વાગી હતી અને તે શહીદ થઈ ગયા હતા. તેમજ પાકિસ્તાને પૂંછમાં આવેલી ન્ર્ંઝ્ર ખાતે સીઝફાયરનું ઉલ્લંઘન કરતાં ઓછામાં ઓછા ૧૫ નાગરિકોના મોત થયા છે. જ્યારે ૪૩ જેટલા ઘાયલ થયા છે.

જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા પૂંછમાં પાકિસ્તાનના ગોળીબારમાં ઘાયલ થયેલા લોકોને મળવા માટે જમ્મુની સરકારી હોસ્પિટલમાં પહોંચ્યા.

પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ વધ્યું છે, ત્યારે પાકિસ્તાને ગુરુવારે (૮ મે, ૨૦૨૫) જમ્મુ, પઠાણકોટ અને ઉધમપુરમાં સેના સ્ટેશનો પર મિસાઈલ-ડ્રોન વડે હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જેમાં ભારતીય એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા તમામ પાકિસ્તાની મિસાઈલ અને ડ્રોનને આકાશ પર જ તોડી પાડવામાં આવ્યા હતા. જાે કે આ હુમલામાં કોઈ પણ પ્રકારે ભારતને નુકસાન ન થયું હોવાનું સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું. ભારત પોતાની સાર્વભૌમત્વની રક્ષા કરવા અને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે તેવું જણાવવામાં આવ્યું હતું.