ચિરાગ પાસવાનના પરિવારમાં મિલકતનો વિવાદ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો
રામવિલાસ પાસવાનની પહેલી પત્ની રાજકુમારી દેવીએ અલૌલી પોલીસ સ્ટેશનમાં પોતાની ભાભીઓ અને અન્ય લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે તેમના ઘરમાંથી ઘરેણાં અને સામાન ફેંકી દેવામાં આવ્યા હતા અને રૂમોને તાળા મારી દેવામાં આવ્યા હતા. પશુપતિ કુમાર પારસના જૂથે આ ઘટનાને ચિરાગ પાસવાન દ્વારા રચવામાં આવેલું કાવતરું ગણાવ્યું છે.
કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનના પરિવારમાં મિલકત વિવાદનો મામલો સામે આવ્યો છે. જે હવે પોલીસ સુધી પહોંચી ગયો છે. રામવિલાસ પાસવાનની પહેલી પત્ની રાજકુમારી દેવીએ તેમની બે ભાભીઓ સહિત પાંચ લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. રાજકુમારી દેવીએ આરોપીઓ પર ખગરિયાના બન્ની ગામમાં તેમના ઘરમાંથી ઘરેણાં અને અન્ય વસ્તુઓ ફેંકી દેવાનો અને બેડરૂમ અને બાથરૂમને તાળું મારવાનો આરોપ લગાવ્યો છે. એસપી રાકેશ કુમારે પુષ્ટિ કરી છે કે કેસ નોંધવામાં આવ્યો છે.
આ મામલે રાજકુમારી દેવીની લેખિત અરજી પર, પશુપતિ કુમાર પારસની પત્ની શોભા દેવી, સ્વર્ગસ્થ રામચંદ્ર પાસવાનની પત્ની સુનૈના દેવી, એક બોડી ગાર્ડ અને બે ડ્રાઇવરો વિરુદ્ધ અલૌલી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે ચિરાગ પાસવાનને મિલકતના વિભાજન માટે અપીલ કરી છે. ન્ત્નઁઇ ના નેતાઓને પણ રાજકુમારી દેવીની સ્થિતિ વિશે ખબર પડતા તેમણે પશુપતિ કુમાર પારસ પર સીધો આરોપ લગાવ્યો.
આ સમગ્ર બાબતે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પશુપતિ કુમાર પારસના જૂથે પણ આગેવાની લીધી છે. રાષ્ટ્રીય લોજપા રાજ્ય પ્રવક્તા શ્રવણ અગ્રવાલે જણાવ્યું હતું કે ચિરાગે પશુપતિ કુમાર પારસને બદનામ કરવા માટે આ યુક્તિ અપનાવી છે. પોતાના કાકાને રાજકીય નુકસાન પહોંચાડવા માટે, ચિરાગે પોતાના કેટલાક ગુંડાઓ, પાર્ટીના નેતાઓ અને અસામાજિક તત્વોને મોકલીને આ નાટક કર્યું છે. ચિરાગના આ કૃત્યથી સ્વર્ગસ્થ રામવિલાસ પાસવાન દુ:ખી થયા હશે.
સ્વ. રામવિલાસ પાસવાને બે લગ્ન કર્યા હતા. પહેલી પત્ની રાજકુમારી દેવી સાથે છૂટાછેડા લીધા પછી, રામ વિલાસે ૧૯૮૩માં રીના શર્મા સાથે લગ્ન કર્યા. ચિરાગ પાસવાનની માતા રીના પાસવાન છે. ૨૦૨૦ માં રામવિલાસ પાસવાનના અવસાન પછી, ચિરાગ ન્ત્નઁ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા.