કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે માઓવાદીઓ સાથે વાતચીતનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે તેમણે સરકારની “લાભદાયક શરણાગતિ અને પુનર્વસન નીતિ” સ્વીકારીને શસ્ત્રો મૂકવા પડશે.
છત્તીસગઢના બસ્તર જિલ્લાના મુખ્ય મથક જગદલપુરમાં ‘બસ્તર દશેરા લોકોત્સવ‘ અને ‘સ્વદેશી મેળા‘ને સંબોધતા શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતને નક્સલમુક્ત બનાવવા માટે ૩૧ માર્ચ, ૨૦૨૬ ની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.
“હું મારા બધા આદિવાસી ભાઈઓ અને બહેનોને કહેવા માંગુ છું કે તેઓ તેમના ગામડાઓના યુવાનોને શસ્ત્રો મૂકવા માટે સમજાવે. તેમણે હિંસા છોડી દેવી જાેઈએ, મુખ્ય પ્રવાહમાં જાેડાવું જાેઈએ અને બસ્તરના વિકાસનો ભાગ બનવું જાેઈએ,” તેમણે કહ્યું.
“કેટલાક લોકોએ (નક્સલવાદીઓ સાથે) વાતચીત માટે હાકલ કરી છે. હું ફરીથી સ્પષ્ટ કરવા માંગુ છું કે છત્તીસગઢ અને કેન્દ્ર સરકાર બંને બસ્તર અને તમામ નક્સલગ્રસ્ત વિસ્તારોમાં વિકાસ માટે પ્રતિબદ્ધ છે. વાત કરવા જેવું શું છે? એક આકર્ષક શરણાગતિ અને પુનર્વસન નીતિ લાગુ કરવામાં આવી છે. આગળ આવો અને તમારા શસ્ત્રો મૂકો,” શાહે કહ્યું.
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું, “જાે તમે હથિયાર ઉપાડો અને બસ્તરની શાંતિમાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરો છો, તો આપણા સશસ્ત્ર દળો, ઝ્રઇઁહ્લ (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ) અને છત્તીસગઢ પોલીસ યોગ્ય જવાબ આપશે. ૩૧ માર્ચ, ૨૦૨૬ એ દેશમાંથી નક્સલવાદને વિદાય આપવાની તારીખ છે.”
પ્રતિબંધિત ઝ્રઁૈં (માઓવાદી) ના કેન્દ્રીય સમિતિના સભ્ય વેણુગોપાલ ઉર્ફે સોનુ દ્વારા હથિયાર છોડવાની હાકલ અને તેલંગાણા સ્થિત નાગરિક સમાજ સંસ્થાઓ દ્વારા સરકારને નક્સલીઓ સાથે વાતચીત શરૂ કરવાની હાકલ વચ્ચે તેમની ટિપ્પણી આવી.
શાહે કહ્યું કે તેમણે મા દંતેશ્વરી મંદિરની મુલાકાત લીધી અને પ્રાર્થના કરી કે સુરક્ષા દળોને આવતા વર્ષે ૩૧ માર્ચ સુધીમાં સમગ્ર બસ્તર પ્રદેશને “લાલ આતંક” થી મુક્ત કરવા માટે શક્તિ મળે.
“દિલ્હીમાં કેટલાક લોકો વર્ષોથી ખોટી માહિતી ફેલાવતા હતા કે નક્સલવાદનો જન્મ વિકાસની લડાઈ માટે થયો હતો. પરંતુ હું મારા આદિવાસી ભાઈઓને કહેવા આવ્યો છું કે સમગ્ર બસ્તર વિકાસથી વંચિત રહી ગયું છે. તેનું મૂળ કારણ નક્સલવાદ છે,” તેમણે કહ્યું.
તેમના મતે, દેશના દરેક ખૂણામાં મૂળભૂત સુવિધાઓ પહોંચી ગઈ છે પરંતુ ઉગ્રવાદને કારણે બસ્તર વંચિત રહ્યું. “આજે, ભારતના દરેક ગામમાં વીજળી, પીવાનું પાણી, રસ્તા, દરેક ઘરમાં શૌચાલય, ?૫ લાખ સુધીનો આરોગ્ય વીમો અને ૫ કિલો મફત ચોખા પહોંચી ગયા છે પરંતુ બસ્તર આવા વિકાસથી વંચિત રહ્યું છે,” તેમણે કહ્યું.
“છત્તીસગઢ સરકારે દેશમાં શ્રેષ્ઠ શરણાગતિ નીતિ બનાવી છે. એક જ મહિનામાં ૫૦૦ થી વધુ લોકોએ શરણાગતિ સ્વીકારી છે. દરેકે શરણાગતિ સ્વીકારવી જાેઈએ. એક ગામ નક્સલવાદી મુક્ત થતાંની સાથે જ છત્તીસગઢ સરકાર તેને વિકાસ માટે ?૧ કરોડ આપશે. નક્સલવાદથી કોઈને ફાયદો થશે નહીં,” શાહે ઉમેર્યું.
કેન્દ્રના યોગદાન પર પ્રકાશ પાડતા તેમણે કહ્યું, “(વડાપ્રધાન) નરેન્દ્ર મોદી સરકારે ૧૦ વર્ષમાં વિકાસ કાર્યો માટે છત્તીસગઢને ?૪ લાખ કરોડથી વધુ આપ્યા છે. પીએમ વતી, હું તમને ખાતરી આપવા માંગુ છું કે ૩૧ માર્ચ, ૨૦૨૬ પછી, નક્સલવાદીઓ તમારા વિકાસને રોકી શકશે નહીં. તેઓ તમારા અધિકારોને રોકી શકશે નહીં.”
શાહે શ્રોતાઓને નક્સલવાદથી ગેરમાર્ગે દોરાયેલા લોકોને હિંસા છોડીને મુખ્ય પ્રવાહમાં જાેડાવા માટે સમજાવવા વિનંતી કરી.
બસ્તરના સાંસ્કૃતિક વારસાની પ્રશંસા કરતા, તેમણે ૭૫ દિવસના દશેરા ઉત્સવને વિશ્વના સૌથી લાંબા અને મહત્વપૂર્ણ તહેવારોમાંના એક તરીકે વર્ણવ્યો. તેમણે કહ્યું કે તે પ્રદેશની આદિવાસી પરંપરાઓનું સન્માન કરે છે.
“મેં આજે મુરિયા દરબારમાં પણ હાજરી આપી હતી, અને મને ખૂબ આનંદ થયો. બસ્તર વિભાગના તમામ (આદિવાસી) સમુદાયના નેતાઓ ત્યાં હાજર હતા અને તેમના મુદ્દાઓ શેર કર્યા. હું દિલ્હી જઈશ અને દરેકને ઓછામાં ઓછા એક વખત મુરિયા દરબાર જાેવા માટે કહીશ. ૧૮૭૪ થી, તે સક્રિય ભાગીદારી, ન્યાયિક વ્યવસ્થા, આદિવાસી સંસ્કૃતિ, વિચારશીલ સંવાદ અને લોકોની ભાગીદારીને પ્રતિબિંબિત કરે છે. ખરા અર્થમાં, તે એક ઐતિહાસિક અને વૈશ્વિક વારસો છે. મુરિયા દરબાર, તેના મુખ્ય લોકશાહી મૂલ્યો સાથે, સમગ્ર રાષ્ટ્ર માટે મહાન શીખવાનો વિષય છે,” તેમણે ઉમેર્યું.
સ્વદેશી ઉત્પાદનો અપનાવવાનું આહ્વાન કરતાં શાહે કહ્યું, “જાે ભારતના ૧૪૦ કરોડ લોકો સ્વદેશીનો સંકલ્પ સ્વીકારે, તો ભારતને વિશ્વની અગ્રણી આર્થિક શક્તિ બનતા કોઈ રોકી શકશે નહીં.”
તેમણે કર રાહતનો પણ ઉલ્લેખ કર્યો. “મોદીજીએ ૩૬૫ વસ્તુઓ પર કર ઘટાડીને દેશભરની માતાઓ અને બહેનોને નોંધપાત્ર રાહત આપી છે. તેમણે દૈનિક ઉપયોગની વસ્તુઓ પરનો કર માત્ર પાંચ ટકા રાખ્યો છે. આપણા દેશમાં આટલો નોંધપાત્ર કર ઘટાડો ક્યારેય જાેવા મળ્યો નથી,” તેમણે કહ્યું.
આ પ્રસંગે, શાહે રાજ્યની મહતારી વંદન યોજના હેઠળ લગભગ ૬૫ લાખ મહિલા લાભાર્થીઓના બેંક ખાતામાં ?૧,૦૦૦ નો ૨૦મો માસિક હપ્તો જારી કર્યો. મહિલાઓના બેંક ખાતામાં ?૬૦૬.૯૪ કરોડની રકમ ટ્રાન્સફર કરવામાં આવી.
તેમણે મુખ્યમંત્રી ગ્રામીણ બસ સેવા યોજના પણ શરૂ કરી, જે મુખ્યત્વે આદિવાસી પ્રભુત્વ ધરાવતા બસ્તર અને સુરગુજા વિભાગો માટે છે.

