ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સુનિલ ગાવસ્કરે પોતાની એક કોલમમાં IPL પ્રશંસા કરી, પરંતુ T20 ટુર્નામેન્ટ અને ભારતમાં સ્થાનિક ક્રિકેટ રમનારા ખેલાડીઓ માટેનું અંતર પણ જણાવ્યું હતું.
ગાવસ્કરે પોતાની કોલમમાં લખ્યું કે, ‘આ એ ફરી એકવાર દેખાડી દીધુ છે કે એક પ્રદર્શન એક અજાણ્યા ખેલાડીને ઉચ્ચ સન્માનની દોડમાં લાવી શકે છે. આ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ, રણજી ટ્રોફીના પ્રદર્શનથી તદ્દન વિપરીત છે, જ્યાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓ ચર્ચામાં નથી આવતા. IPL એક સારી સીઝન કોઈ ખેલાડીને એટલું આપે છે જેટલું તેને તેની આખી રણજી ટ્રોફી કારકિર્દી નથી આપી શક્તિ, એવા ઘણા ઉદાહરણો છે જ્યારે એક મેચમાં સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓ એક કે બે સીઝનમાં રમતમાંથી બહાર થઈ જાય છે, પરંતુ IPL એક સીઝન ઘણીવાર તેમને રણજી ટ્રોફીની આખી કારકિર્દી કરતાં વધુ પૈસા આપે છે. જાેકે, આ અસંતુલનનો શ્રેય IPL જનતા વચ્ચે અપીલ અને તેના કારણે મોટા પાયે પ્રસારણ અને સ્પોન્સરશિપ અધિકારોને જાય છે, પરંતુ તે એ ખેલાડીઓને જરૂર નિરાશ કરે છે જેઓ ૈંઁન્ કરતા લગભગ ત્રણ ગણી વધુ ક્રિકેટ મેચ રમે છે.‘
તેમજ પોતાની કોલમમાં ગાવસ્કરે વધુમાં કહ્યું હતું કે, ‘આ ઘા પર મીઠું ભભરાવવા જેવું છે, જે લોકો આખી સીઝન ઘરેલુ ક્રિકેટ રમે છે તેઓ અનકેપ્ડ ૈંઁન્ ખેલાડીની સૌથી ઓછી બેઝ પ્રાઈઝ ૩૦ લાખ રૂપિયા પણ નથી કમાઈ શકતા. જાે મુંબઈ જેવા અન્ય સંગઠનો રણજી ખેલાડીઓને BCCI દ્વારા આપવામાં આવતી ચૂકવણી સાથે મેળ ખાય છે, તો આ અસંતુલન ઘણી હદ સુધી ઘટાડી શકાય છે.‘