Gujarat

જામનગરમાં એરફોર્સ સાર્જન્ટનો ક્વાર્ટરમાંથી મૃતદેહ મળ્યો

જામનગરમાં એરફોર્સ-1ના ક્વાર્ટરમાંથી એક સાર્જન્ટનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટના અંગે સિટી “સી” ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક રોહિતભાઈ નરેશભાઈ ધનખડ (ઉ.વ.36) એરફોર્સમાં સાર્જન્ટ તરીકે ફરજ બજાવતા હતા. તેઓ એરફોર્સ-1ના ગેટ નંબર-2 નજીક આવેલા ક્વાર્ટરમાં રહેતા હતા. આ ઘટના તા. 1 જૂન, 2026ના રોજ બની હતી.

રોહિતભાઈ પોતાના નિવાસસ્થાનમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં તેમણે પોતાના રૂમમાં પંખા સાથે દોરી બાંધી ગળેફાંસો ખાધો હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે જરૂરી પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. હાલ તેમણે આ પગલું કયા કારણોસર ભર્યું તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ નથી.