International

કેનેડામાં ગુજરાતના ૨૨ વર્ષીય વિદ્યાર્થીની છરીના ઘા મારીને હત્યા, યુએસ બોર્ડર પાસે લાશ મળી

કેનેડીયન પોલીસે જણાવ્યું હતું કે કેનેડાના નાયગ્રા ક્ષેત્રમાં ગુજરાતની એક ૨૨ વર્ષીય ભારતીય વિદ્યાર્થીની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. પીડિતા, વિધિ મેઘા તરીકે ઓળખાય છે, જે આણંદ જિલ્લાના બોરસદની રહેવાસી હતી.

વિધિ ૧૫ મેના રોજ ગુમ થયા બાદ યુએસ સરહદ નજીક નાયગ્રા વિસ્તારમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

કેનેડામાં શિક્ષણ મેળવતી હતી

વિધિ પોતાનો અભ્યાસ કરવા માટે કેનેડામાં રહેતી હતી અને આર્થિક રીતે પોતાનું ગુજરાન ચલાવવા માટે શિક્ષણ સાથે કામ કરતી હતી. તે કેનેડામાં કાયમી રહેઠાણ (ઁઇ) માટે અરજી કરવાની પણ તૈયારી કરી રહી હતી.

વિધિ ૧૫ મેના રોજ ગુમ થઈ હોવાનું કહેવાય છે. તપાસ દરમિયાન, પોલીસે શોધી કાઢ્યું હતું કે ૨૨ વર્ષીય વિદ્યાર્થીની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી.

કેનેડિયન અધિકારીઓએ હત્યાનો કેસ નોંધ્યો છે અને આરોપીને શોધવા માટે શોધ અભિયાન શરૂ કર્યું છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે શંકાસ્પદ વ્યક્તિની ટૂંક સમયમાં ધરપકડ થવાની અપેક્ષા છે.

ભૂતકાળમાં નોંધાયેલા સમાન બનાવો

આ ઘટના કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ સાથે સંકળાયેલા તાજેતરના મૃત્યુની શ્રેણીમાં ઉમેરો કરે છે. ડિસેમ્બર ૨૦૨૫ માં, ટોરોન્ટો યુનિવર્સિટીના સ્કારબોરો કેમ્પસ નજીક ૨૦ વર્ષીય ભારતીય ડોક્ટરલ વિદ્યાર્થી શિવાંક અવસ્થીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બાદમાં તેનો મૃતદેહ હાઇલેન્ડ ક્રીક ટ્રેઇલ નજીક મળી આવ્યો હતો.

અગાઉ, એપ્રિલ ૨૦૨૫ માં, હરીફ જૂથો વચ્ચે ગોળીબાર દરમિયાન બસ સ્ટોપ પર ઉભા રહેલા ૨૧ વર્ષીય ભારતીય વિદ્યાર્થી હરસિમરત રંધાવાનું હેમિલ્ટનમાં ગોળી વાગવાથી મૃત્યુ થયું હતું.

ડિસેમ્બર ૨૦૨૪ માં બીજા એક કિસ્સામાં, ૨૦ વર્ષીય ભારતીય શીખ વિદ્યાર્થી હર્ષદીપ સિંહ અંતલ, એડમોન્ટનમાં એક એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સમાં સુરક્ષા ગાર્ડ તરીકે પાર્ટ-ટાઇમ કામ કરતી વખતે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.