ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જાહેરાત કરી છે કે નવા ઉદ્ઘાટન કરાયેલ ગંગા એક્સપ્રેસવે વાણિજ્યિક કામગીરી શરૂ થયા પછીના પ્રથમ ૧૫ દિવસ માટે સંપૂર્ણપણે ટોલ-ફ્રી રહેશે. તેમણે પુષ્ટિ આપી છે કે આ સમયગાળા દરમિયાન કોઈ ટોલ ચાર્જ વસૂલવામાં આવશે નહીં જેના કારણે મુસાફરો નવા એક્સપ્રેસવે પર મુક્તપણે મુસાફરી કરી શકશે.
મુખ્યમંત્રીના નિર્દેશને અનુસરીને, ઉત્તર પ્રદેશ એક્સપ્રેસવેઝ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ ઓથોરિટી એ ૈંઇમ્ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અદાણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બંનેને ૧૫ દિવસ માટે ટોલ વસૂલાત સ્થગિત કરવાનો નિર્દેશ આપ્યો છે. અધિકારીઓએ ભાર મૂક્યો હતો કે ટોલ-ફ્રી વિન્ડો દરમિયાન તમામ કામગીરી અને જાળવણી ધોરણોનું કડક પાલન ચાલુ રાખવું જાેઈએ.
બે ટોલ પ્લાઝા, ફાસ્ટેગ વાર્ષિક પાસ સુવિધા નહીં
ગંગા એક્સપ્રેસવે બે ટોલ પ્લાઝાથી સજ્જ છે. ફ્રી-ટ્રાવેલ અવધિ સમાપ્ત થયા પછી મુસાફરો માટે સંયુક્ત ટોલ ચાર્જ રૂ. ૧,૫૦૦ થી રૂ. ૧,૮૦૦ ની વચ્ચે હોઈ શકે છે. અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે ફાસ્ટેગ વાર્ષિક પાસ સુવિધા આ એક્સપ્રેસવે પર માન્ય રહેશે નહીં. ડ્ઢમ્ર્હ્લં્ ટોલ ફ્રેમવર્ક પર પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ (ઁઁઁ) મોડેલ હેઠળ વિકસાવવામાં આવેલ આ પ્રોજેક્ટ ૈંઇમ્ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અદાણી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ૨૭ વર્ષ માટે ટોલ વસૂલવાનો અધિકાર આપે છે.
પીએમ મોદી દ્વારા ઉદ્ઘાટન
બુધવારે (૨૯ એપ્રિલ) વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૫૯૪ કિમી લાંબા ગંગા એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન કર્યું – જે મેરઠથી પ્રયાગરાજને જાેડતો એક મેગા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે. હાઇ-સ્પીડ કોરિડોરથી સમગ્ર ઉત્તર પ્રદેશમાં કનેક્ટિવિટીમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે, જ્યારે ઔદ્યોગિક રોકાણ, લોજિસ્ટિક્સ, કૃષિ માર્કેટિંગ અને પ્રાદેશિક સંતુલનને પ્રોત્સાહન મળશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે હરદોઈથી એક્સપ્રેસવેના ઉદ્ઘાટન સાથે રાજ્યની વિકાસ યાત્રાને નવી ગતિ મળશે.
ગંગા એક્સપ્રેસવે વિશે- આ એક્સપ્રેસવે મેરઠ, હાપુર, બુલંદશહેર, અમરોહા, સંભલ, બદાયૂં, શાહજહાંપુર, હરદોઈ, ઉન્નાવ, રાયબરેલી, પ્રતાપગઢ અને પ્રયાગરાજના ૧૨ મુખ્ય જિલ્લાઓને જાેડે છે અને ઝડપી, સુરક્ષિત અને વધુ અનુકૂળ અવરજવર સુનિશ્ચિત કરતી વખતે મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટાડવાની અપેક્ષા છે. આ પ્રોજેક્ટ છ-લેન એક્સપ્રેસવે તરીકે બનાવવામાં આવ્યો છે જેમાં આઠ લેન સુધી વિસ્તરણ કરવાની જાેગવાઈ છે, જેની ડિઝાઇન ગતિ ૧૨૦ કિમી પ્રતિ કલાક છે. તેની મુખ્ય વિશેષતાઓમાંની એક શાહજહાંપુર નજીક વાયુસેનાના વિમાનના ઇમરજન્સી લેન્ડિંગ માટે ૩.૨ કિમી લાંબી હવાઈ પટ્ટી છે. નિવેદન અનુસાર, એક્સપ્રેસવે સલામતી સુનિશ્ચિત કરવા માટે ઇન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ (ૈં્સ્જી), ઝ્રઝ્ર્ફ સર્વેલન્સ, ઇમરજન્સી કોલ બોક્સ, એમ્બ્યુલન્સ અને પેટ્રોલિંગ યુનિટથી પણ સજ્જ છે.

