National

કોંગ્રેસે રાજ્યસભા માટે ૭ ઉમેદવારોની જાહેરાત કરી; કર્ણાટકમાંથી મલ્લિકાર્જુન ખડગે, પવન ખેરાને નોમિનેટ કર્યા

કોંગ્રેસ પાર્ટીએ આગામી દિવસોમાં યોજાનાર રાજ્યસભા ચૂંટણી માટે સાત ઉમેદવારોની યાદી જાહેર કરી, જેમાં કર્ણાટકથી પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને ફરીથી ઉમેદવાર બનાવ્યા છે જ્યારે રાજ્યમાંથી પવન ખેરા અને મન્સૂર અલી ખાનને પણ ઉમેદવાર બનાવ્યા છે.

આ જાહેરાતો ૧૮ જૂને યોજાનારી રાજ્યસભા ચૂંટણી પહેલા કરવામાં આવી છે, જ્યારે અનેક રાજ્યોમાં ૨૪ બેઠકો માટે મતદાન યોજાશે.

કોંગ્રેસ ઉમેદવારોની યાદી

છૈંઝ્રઝ્ર મહાસચિવ, સંગઠન, કે.સી. વેણુગોપાલના સંદેશાવ્યવહાર મુજબ, કોંગ્રેસે મધ્યપ્રદેશમાં રાજ્યસભા ચૂંટણી માટે તેના નેતા, મીનાક્ષી નટરાજનને તેના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. તે ભૂતપૂર્વ સાંસદ હતી.

કોંગ્રેસ પાર્ટીએ તમિલનાડુમાં રાજ્યસભા ચૂંટણી માટે ડેટા એનાલિટિક્સ અને પ્રોફેશનલ્સ વિંગના વડા પ્રવીણ ચક્રવર્તીને પણ મેદાનમાં ઉતાર્યા છે, ઉપરાંત રાજસ્થાનથી નીરજ ડાંગીને પણ ઉમેદવાર બનાવ્યા છે. હાલમાં કોંગ્રેસ પ્રમુખ સાથે જાેડાયેલા પ્રણવ ઝાને ઝારખંડમાંથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

ઉમેદવારો-

૧. કર્ણાટક મલ્લિકાર્જુન ખડગે

૨. કર્ણાટક પવન ખેરા

૩. કર્ણાટક મન્સૂર અલી ખાન

૪. મધ્યપ્રદેશ મીનાક્ષી નટરાજન

૫. રાજસ્થાન નીરજ ડાંગી

૬. તમિલનાડુ પ્રવીણ ચક્રવર્તી

૭. ઝારખંડ પ્રણવ ઝા

રાજ્ય ચૂંટણી ૨૦૨૬

પૂર્વ વડા પ્રધાન એચડી દેવગૌડા, ખડગે અને દિગ્વિજય સિંહ સહિત વર્તમાન સભ્યોની નિવૃત્તિ બાદ ચૂંટણી પંચે ૧૮ જૂને ૨૪ રાજ્યસભા બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરી હતી. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે રાજ્યસભા બેઠકો માટેની ચૂંટણી ૧૦ રાજ્યોમાં યોજાશે જ્યાં વર્તમાન સભ્યો ૨૧ જૂનથી ૧૯ જુલાઈ સુધી અલગ અલગ તારીખે નિવૃત્ત થઈ રહ્યા છે.

રાજ્યસભાની ચૂંટણી આંધ્રપ્રદેશ, ગુજરાત અને કર્ણાટકમાં ચાર-ચાર બેઠકો, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ત્રણ-ત્રણ બેઠકો, ઝારખંડમાં બે બેઠકો અને મણિપુર, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમમાં એક-એક બેઠક પર યોજાશે. ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ ૮ જૂન છે.

રાજ્યસભામાંથી નિવૃત્ત થનારાઓમાં ગૌડા, કોંગ્રેસ પ્રમુખ ખડગે (બંને કર્ણાટકથી), કેન્દ્રીય મંત્રીઓ રવનીત સિંહ (રાજસ્થાન) અને જ્યોર્જ કુરિયન (મધ્યપ્રદેશ, ભૂતપૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ, કોંગ્રેસ નેતા શક્તિસિંહજી ગોવિલ, વગેરેનો સમાવેશ થાય છે. રવનીત સિંહ ઉપરાંત, રાજસ્થાનમાં જેમનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે તેમાં કોંગ્રેસના નીરજ ડાંગી અને ભાજપના રાજેન્દ્ર ગેહલોતનો સમાવેશ થાય છે.