National

બ્રિક્સ (BRICS) સંમેલનમાં વડાપ્રધાન મોદી અને શી જિનપિંગની મુલાકાત બાદ ગુઆંગઝૂ-નવી દિલ્હી ફ્લાઇટ્સ ફરી શરૂ થશે

ચાઇના સધર્ન એરલાઇન્સ ૨૧ સપ્ટેમ્બરથી ગુઆંગઝૂ અને નવી દિલ્હી વચ્ચે નિયમિત પેસેન્જર ફ્લાઇટ્સ ફરી શરૂ કરવા જઈ રહી છે, જે છ વર્ષના અંતરાલ બાદ ભારત માટેની તેની સેવાઓની પુન:શરૂઆત દર્શાવે છે. આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ૧૮મી બ્રિક્સ (BRICS) સમિટ માટે ભારત પહોંચ્યા છે અને શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક માટે તૈયારી કરી રહ્યા છે. ચીનના સરકારી અખબાર ‘ગ્લોબલ ટાઇમ્સ‘ અનુસાર, ચાઇના સધર્ન ૨૧ સપ્ટેમ્બરથી ગુઆંગઝૂ-નવી દિલ્હી રૂટ પર કામગીરી ફરી શરૂ કરશે. સેવા પુન:સ્થાપિત થવાની સાથે, એરલાઇને જણાવ્યું હતું કે તે ચીનને દક્ષિણ એશિયાના સ્થળો સાથે જાેડતા આઠ રાઉન્ડ-ટ્રિપ રૂટ પર સાપ્તાહિક ૧૦૦થી વધુ ફ્લાઇટ્સનું સંચાલન કરશે.

ચાઇના સધર્ન ગુઆંગઝૂ-દિલ્હી કનેક્ટિવિટી પુન:સ્થાપિત કરશે

ગુઆંગઝૂ-નવી દિલ્હી સેવા ફરી શરૂ થવી એ ભારત અને ચીન વચ્ચે સીધી હવાઈ કનેક્ટિવિટીના ક્રમશ: પુન:સ્થાપન તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. ચાઇના સધર્નની વાપસી તેની ભારતની કામગીરી છ વર્ષ સુધી સ્થગિત રહ્યા બાદ થઈ છે. આ ઘટનાક્રમ વિશેષ મહત્વ ધરાવે છે કારણ કે વર્ષોના તણાવપૂર્ણ સંબંધો બાદ ભારત-ચીન સંબંધોમાં હવે ક્રમશ: સુધારાના સંકેતો દેખાઈ રહ્યા છે. કોવિડ-૧૯ મહામારી દરમિયાન બંને દેશો વચ્ચેની સીધી પેસેન્જર ફ્લાઇટ્સ ખોરવાઈ ગઈ હતી અને ડોકલામ તથા ગલવાન વિવાદો બાદ સર્જાયેલા વ્યાપક તણાવને કારણે તે સ્થગિત રહી હતી.

ભારત અને ચીન વચ્ચે હવાઈ કનેક્ટિવિટીમાં વેગ

ચાઇના સધર્નની આ જાહેરાત આ વર્ષે બંને દેશો વચ્ચે અનેક સીધા હવાઈ રૂટ ફરી શરૂ થયા બાદ આવી છે. એપ્રિલમાં, એર ચાઇનાએ તેની સીધી બેઇજિંગ-દિલ્હી સેવા ફરી શરૂ કરી હતી, જેનાથી બંને દેશો વચ્ચે વધુ એક કનેક્શન ઉમેરાયું હતું. ચાઇના ઇસ્ટર્ન એરલાઇન્સે અગાઉ ૧૮ એપ્રિલે તેની સીધી કુનમિંગ-કોલકાતા સેવા ફરી શરૂ કરી હતી. ભારતીય એરલાઇન ઇન્ડિગોએ પણ ચીન સાથેની કનેક્ટિવિટી મજબૂત કરી છે. ૩૦ માર્ચે, એરલાઇને કોલકાતા અને શાંઘાઈ વચ્ચે દૈનિક નોન-સ્ટોપ સેવા શરૂ કરી હતી. આ પગલું ત્યારે લેવામાં આવ્યું જ્યારે ઇન્ડિગોએ અગાઉ કોલકાતાને ગુઆંગઝૂ સાથે જાેડતી ફ્લાઇટ્સ ફરી શરૂ કરી હતી અને ત્યારબાદ દિલ્હીથી ચીન માટે કામગીરી ફરી શરૂ કરી હતી. આ રૂટ્સનું પુન:સ્થાપન વિદેશ મંત્રાલયની એ પુષ્ટિ બાદ થયું હતું કે લાંબા સમયથી સ્થગિત રહેલી ભારત અને ચીન વચ્ચેની સીધી ફ્લાઇટ્સ ફરી શરૂ થશે.

એર ઇન્ડિયા અને ચીની એરલાઇન્સ દ્વારા સીધા રૂટ ફરી શરૂ

બંને દેશો વચ્ચે હવાઈ સંપર્ક પુન:સ્થાપિત કરવાની પ્રક્રિયાએ ૨૦૨૬ની શરૂઆતમાં વેગ પકડ્યો હતો, જ્યારે એર ઇન્ડિયાએ સીધી ફ્લાઇટ્સ સ્થગિત થયાના લગભગ છ વર્ષ બાદ ફેબ્રુઆરીમાં તેની નવી દિલ્હી-ચીન સેવાઓ ફરી શરૂ કરી હતી. એપ્રિલમાં, એર ચાઇનાએ તેની બેઇજિંગ-દિલ્હી સેવા ફરી શરૂ કરી, જેનાથી બંને દેશો વચ્ચે વધુ એક સીધું જાેડાણ પૂરું પાડવામાં આવ્યું. આ પગલું ચાઈના ઈસ્ટર્ન એરલાઈન્સ દ્વારા ૧૮ એપ્રિલના રોજ કુનમિંગ-કોલકાતા રૂટ પર સેવાઓ ફરી શરૂ કર્યા બાદ લેવામાં આવ્યું છે.

BRICS સમિટ માટે શી જિનપિંગ ભારત આગમન

ચાઈના સધર્ન દ્વારા આ જાહેરાત એવા દિવસે કરવામાં આવી જ્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ૧૮મી BRICS સમિટ માટે બેઈજિંગથી નવી દિલ્હી પહોંચ્યા. શનિવારે બાદમાં શી અને મોદી વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાવાની છે. તેમના પ્રતિનિધિમંડળમાં ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીની સેન્ટ્રલ કમિટીના પોલિટબ્યુરોની સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય અને ઝ્રઁઝ્ર સેન્ટ્રલ કમિટીની જનરલ ઓફિસના ડાયરેક્ટર કાઈ ચી, તેમજ ચીનના વિદેશ મંત્રી અને ઝ્રઁઝ્ર સેન્ટ્રલ કમિટીના પોલિટબ્યુરોની સભ્ય વાંગ યીનો સમાવેશ થાય છે. વર્ષોના તણાવ બાદ ભારત-ચીન સંબંધોમાં ધીમે ધીમે થઈ રહેલા સુધારાના સંદર્ભમાં શીની આ મુલાકાત પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. બંને નેતાઓ વચ્ચેની આ બેઠક દ્વિપક્ષીય સંબંધો તેમજ વ્યાપક પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવાની તક પૂરી પાડશે તેવી અપેક્ષા છે.