Sports

પંજાબ કિંગ્સ અને પંજાબ ક્રિકેટ એસોસિએશને ભૂતપૂર્વ ખેલાડી અમનપ્રીત સિંહ ગિલના નિધન પર શોક વ્યક્ત કર્યો

પંજાબ કિંગ્સ અને પંજાબ ક્રિકેટ એસોસિએશને ભૂતપૂર્વ ખેલાડી અમનપ્રીત સિંહ ગિલના નિધન પર શોક વ્યક્ત કર્યો, જેનું બુધવારે, ૬ મેના રોજ વહેલી સવારે અવસાન થયું. IPLફ્રેન્ચાઇઝીએ શરૂઆતના દિવસોમાં ટીમનો ભાગ રહેલા અમનપ્રીત માટે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પોસ્ટ કરી.

PCA એ ભૂતપૂર્વ ક્રિકેટર ગિલને શ્રદ્ધાંજલિ આપવા માટે એક X પોસ્ટ પણ શેર કરી, જેમણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમી છે અને સિનિયર સિલેક્શન કમિટી, પંજાબના સભ્ય તરીકે પણ સેવા આપી છે. “પંજાબ ક્રિકેટ એસોસિએશન, ભૂતપૂર્વ પંજાબ ક્રિકેટર અને સિનિયર સિલેક્શન કમિટી, પંજાબના સભ્ય અમનપ્રીત સિંહ ગિલના દુ:ખદ અવસાન પર ખૂબ શોક વ્યક્ત કરે છે,” ઁઝ્રછ એ ભૂતપૂર્વ ક્રિકેટરના નિધન પર શોક વ્યક્ત કરતી તસવીર સાથેની પોસ્ટમાં લખ્યું.

“તેમણે ઇન્ડિયા અંડર-૧૯, કિંગ્સ ઇલેવન પંજાબ અને પંજાબ સહિતની ટીમોનું પ્રતિનિધિત્વ કરીને સમર્પણ અને જુસ્સાથી પંજાબ ક્રિકેટની સેવા કરી. શોકગ્રસ્ત પરિવાર અને પ્રિયજનો પ્રત્યે અમારી હૃદયપૂર્વકની સંવેદના.

“વાહેગુરુ મૃતકના આત્માને શાશ્વત શાંતિ અને પરિવારને આ મુશ્કેલ સમયમાં શક્તિ આપે.” “સાંજે ૪:૦૦ વાગ્યે ચંદીગઢના મણિમજરા સ્મશાન ગ્રાઉન્ડ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આઆવ્યા હતા,” તેમાં ઉમેર્યું.

આ દરમિયાન, પીબીકેએસે પણ ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરીને તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો. “અમનપ્રીત સિંહ શેરગિલના નિધનથી ખૂબ દુ:ખ થયું, જેમણે ગર્વથી પંજાબનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને પંજાબ કિંગ્સ પરિવારનો ભાગ હતા. તેમના પરિવાર, મિત્રો અને સમગ્ર ક્રિકેટ જગત પ્રત્યે અમારી હૃદયપૂર્વકની સંવેદના છે.

અમનપ્રીત કોણ હતો?

અમનપ્રીત સિંહ ગિલ એક જમણા હાથનો મધ્યમ-ઝડપી બોલર હતો જે એફસી ક્રિકેટમાં પંજાબ માટે, ભારત અંડર૧૯ ટીમ માટે રમ્યો છે અને આઈપીએલના શરૂઆતના દિવસોમાં પંજાબ કિંગ્સનો પણ ભાગ હતો. તેનો જન્મ ૧૬ સપ્ટેમ્બર ૧૯૮૯ ના રોજ થયો હતો. પીસીએએ જણાવ્યું હતું કે અમનપ્રીતે ૨૦૧૯-૨૦, ૨૦૨૦-૨૧, ૨૦૨૨-૨૩ અને ૨૦૨૪-૨૫ માટે પંજાબની વરિષ્ઠ પસંદગી સમિતિના સભ્ય તરીકે પણ સેવા આપી છે.