ગિરનાર મહોત્સવમાં પોતાના કલાવૃંદ સાથે પહોંચેલા ભાવનગરના કથ્થક નૃત્યાંગના ડો.નીપા ઠક્કર કહે છે કે વિધાનસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૨ જાહેર થઈ ચૂકી છે, આગામી તા.૧લી ડિસેમ્બરે મતદાન થવાનું છે. ત્યારે લોકશાહીમાં આપણને જે અધિકાર મળેલ છે એટલે કે, મત આપવાનો જે અધિકાર મળ્યો છે તેનો અચૂક ઉપયોગ કરીએ. સાથે જ સમાજ- આગળ લઈ જનાર ને આપણા જનપ્રતિનિધિ તરીકે ચૂંટીને આ લોકશાહીના મહાપર્વમાં સહભાગી થઈએ.


