Delhi

પંજશીરમાં તાલિબાનીઓએ સામાન્ય લોકોને મોતને ઘાટ ઉતાર્યા

નવી દિલ્હી
તાલિબાનના આતંકવાદીઓને સૌથી વધુ લડવું પડ્યું હોય તો તે સ્થળ હતું પંચશીર ખીણ. લાંબી લડાઈ બાદ તાલિબાનોએ મારપીટ કરીને પંજશીર ખીણ પર કબજાે કર્યો હતો. રેઝિસ્ટન્સ ફોર્સના લડવૈયાઓએ તાલિબાનના આતંકવાદીઓ સાથે પંજશીર ખીણમાં ઉગ્રતાથી લડ્યા હતા પરંતુ અંતે કેટલાક એનઆરએફ લડવૈયાઓ માર્યા ગયા અને કેટલાક ભૂગર્ભમાં ઉતરી ગયા. પંજશીર ખીણની ભીષણ લડાઇમાં પ્રતિકારક દળના લડવૈયાઓએ તાલિબાનને જડબાતોડ જવાબ આપ્યો. કેટલાક દિવસો સુધી તાલિબાન અહીં બળ સાથે લડતા રહ્યા. પંજશીર ખીણ કબજે કર્યા બાદ તાલિબાનોના હાથમાં હથિયારોનો મોટો સ્ટોક પણ હતો. આ સાથે પેટ્રોલ અને ડીઝલનો સ્ટોક પણ તાલિબાની આતંકવાદીઓના હાથ લાગ્યો હતો.અમરૂલ્લાહ સાલેહ જે અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ હતા, તેમણે પણ પંજશીર ખીણમાં આશરો લીધો હતો. સાલેહનો ભાઈ તાલિબાન દ્વારા મળી આવ્યો હતો અને માર્યો ગયો હતો. હાલમાં સાલેહ ક્યાં છુપાયો છે તેના વિશે કોઈ માહિતી નથી.તાલિબાને ૧૫ ઓગસ્ટના રોજ અફઘાનિસ્તાન પર કબ્જાે કર્યો હતો. આ બાદ તેને પંજશીર કબ્જે કરવામાં બહુ તકલીફ પડી હતી. પંજશીર કબ્જે કર્યા બાદ તાલિબાની આતંકીઓએ કોહરામ મચાવ્યો છે. હવે તો તાલિબાનીઓએ આ સાબિત પણ કરી દીધું છે. તાલિબાનોએ અહીંના રેઝિસ્ટન્સ ફોર્સના લડવૈયાઓને જ નહીં પણ પંજશીર ખીણમાં રહેતા સામાન્ય લોકોને પણ મોતને ઘાટ ઉતારી દીધા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં તાલિબાનના ગુપ્તચર વિભાગના વડા મૌલવી અઘમીર દાવો કરતા જાેવા મળી રહ્યા છે કે જ્યારે તાલિબાન પંજશીર ખીણમાં આવ્યા ત્યારે ગામના લોકો પર્વતો પર ચડી ગયા હતા. અમે તે લોકોને ડરવાની ના પાડી હતી અને પર્વતો પરથી નીચે આવવા માટે કહ્યું હતું. લોકો અમારા ભ્રમ હેઠળ નીચે આવ્યા અને પછી અમારા સૈનિકોએ તેમને મારી નાખ્યા હતા. તાલિબાની આતંકવાદીઓનો એવો વિકરાળ ચહેરો કેવો હશે કે તેઓ નાગરિકોને મારવામાં અચકાતા નથી? તાલિબાનો આરોપીઓને નાની -મોટી ભૂલો માટે ફાંસી આપી રહ્યા છે. તેઓ તેમને ચાબુકથી મારતા હોય છે. પરંતુ પંજશીર ખીણના તે નિર્દોષ લોકોનો શું ગુનો હતો જેઓ તાલિબાનો દ્વારા કપટથી માર્યા ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *