ઊના – ગીરસોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાટી તેમજ વેરાવળ ડિવીઝન મદદનિશ અધિક્ષક ઓમપ્રકાશ જાટની સુચના હેઠળ નવાબંદર મરીન પીએસઆઇ કે વી ચૈહાણ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા નવાબંદર પોલીસ સ્ટેશન ખાતે ભારતદેશ આઝાદીના ૭૫ વર્ષ થયેલ હોય આ તકે આઝાદીકા અમૃત મહોત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દેશ પ્રત્યેની ભાવના સાથે દેશ ભક્તિના ગીતો અલગ અલગ કલાકારો દ્વારા રમઝટ બોલાવવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં નવાબંદર ગામના હિન્દુ મુસ્લીમ સમાજના બહોળી સંખ્યામાં આગેવાનો તથા ગામના સ્થાનિક લોકો હાજર રહ્યા હતા. દેશ ભક્તિના ગીતો સાથે આઝાદીની મોજ માણી ઉજવણી કરવામાં આવી હતી.


